Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 450.

< Previous Page   Next Page >


Page 257 of 297
PDF/HTML Page 281 of 321

 

background image
અર્થઃજે મહામુનિ પૂજાઆદિમાં તો નિરપેક્ષ છે અર્થાત્
પોતાનાં પૂજામાહાત્મ્ય આદિને ઇચ્છતા નથી, સંસારદેહભોગથી
વિરક્ત છે, સ્વાધ્યાય ધ્યાનાદિ અંતરંગતપમાં પ્રવીણ છે અર્થાત્ ધ્યાન
અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે, ઉપશમશીલ અર્થાત્
મંદકષાયરૂપ શાંતપરિણામ જ છે સ્વભાવ જેનો તથા જે મહાપરાક્રમી
અને ક્ષમાદિ પરિણામ યુક્ત છે એવા મહામુનિ મસાણભૂમિમાં,
ગહનવનમાં, જ્યાં લોકની આવ
જાવ ન હોય એવા નિર્જનસ્થાનમાં,
મહા ભયાનક ગહન વનમાં તથા અન્ય પણ એવા એકાન્તસ્થાનમાં રહે
છે તેને નિશ્ચયથી આ વિવિક્તશૈયાસનતપ હોય છે.
ભાવાર્થઃમહામુનિ વિવિક્તશૈયાસનતપ કરે છે. ત્યાં એવા
એકાન્તસ્થાનમાં તેઓ સૂવેબેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા
કોઈ પણ પદાર્થો ન હોય, એવાં સૂનાં ઘર, ગિરિગુફા, વૃક્ષનાં કોતર,
ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન
વસ્તિકાદિક, દેવમંદિર તથા
મસાણભૂમિ ઇત્યાદિ એકાન્તસ્થાન હોય ત્યાં ધ્યાન-અધ્યયન કરે છે,
કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને
પોતાના આત્મસ્વરૂપમાં અનુરક્ત છે. એવા મુનિ વિવિક્તશૈયાસનતપ
સંયુક્ત છે.
હવે કાયક્લેશતપ કહે છેઃ
दुस्सहउवसग्गजई आतावणसीयवायखिण्णो वि
जो ण वि खेदं गच्छदि कायकिलेसो तवो तस्स ।।४५०।।
दुस्सहोपसर्गजयी आतापनशीतवातखिन्नः अपि
यः न अपि खेदं गच्छति कायक्लेशं तपः तस्य ।।४५०।।
અર્થઃજે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવાવાળા હોય, આતાપ
શીતવાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતા હોય, તથા
ચિત્તમાં ક્ષોભક્લેશ ન ઊપજતો હોય તે મુનિને કાયક્લેશ નામનું તપ
હોય છે.
દ્વાદશ તપ ][ ૨૫૭