Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 2-3.

< Previous Page   Next Page >


Page 4 of 297
PDF/HTML Page 28 of 321

 

૪ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા

अद्ध्रुव असरण भणिया संसारामेगमण्णमसुइत्तं
आसव-संवरणामा णिज्जर-लोयाणुपेहाओ ।।।।
इय जणिऊण भावह दुल्लह-धम्माणुभावणा णिच्चं
मणवयणकायसुद्धी एदा उद्देसदो भणिया ।।।। युग्मम्
अध्रुव अशरणं भणिताः संसारमेकमन्यमअशुचित्वम्
आस्रवसंवरनामा निर्जरालोकानुप्रेक्षाः ।।
इति ज्ञात्वा भावयत दुर्लभधर्मानुभावनाः नित्यम्
मनोवचनकायशुद्धया एताः उद्देशतः भणिताः ।।

અર્થઃહે ભવ્યાત્મન્? આટલાં જે અનુપ્રેક્ષાનાં નામ જિનદેવ કહે છે. તેને (સમ્યક્ પ્રકારે) જાણીને મન-વચન-કાય શુદ્ધ કરી આગળ કહીશું તે પ્રમાણે તમે નિરંતર ભાવો (ચિંતવો). તે (નામ) ક્યાં છે? અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મએ બાર છે.

ભાવાર્થઃએ બાર ભાવનાનાં નામ કહ્યાં, તેનું વિશેષ અર્થરૂપ કથન તો આગળ યથાસ્થાને થશે જ; વળી એ નામ સાર્થક છે. તેનો અર્થ શો? અધ્રુવ તો અનિત્યને કહીએ છીએ, જેમાં શરણપણું નથી તે અશરણ છે, પરિભ્રમણને સંસાર કહીએ છીએ, જ્યાં બીજું કોઈ નથી તે એકત્વ છે, જ્યાં સર્વથી જુદાપણું છે તે અન્યત્વ છે, મલિનતાને અશુચિત્વ કહીએ છીએ, કર્મનું આવવું તે આસ્રવ છે, કર્માસ્રવ રોકવો તે સંવર છે, કર્મનું ખરવું તે નિર્જરા છે, જેમાં છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, અતિ કઠણતાથી પ્રાપ્ત કરીએ તે દુર્લભ (બોધિદુર્લભ) છે અને સંસારથી જીવોનો ઉદ્ધાર કરે તે વસ્તુસ્વરૂપદિક ધર્મ છે; એ પ્રમાણે તેનો અર્થ છે. હવે પ્રથમ અધ્રુવાનુપ્રેક્ષા કહે છેઃ

પાઠાંતરઃ दस दो य भणिया हु।