Swami Kartikeyanupreksha (Gujarati). 1. Adhruvanupreksha Gatha: 4-5.

< Previous Page   Next Page >


Page 5 of 297
PDF/HTML Page 29 of 321

 

[ ૫ ]
૧. અધા્રુવાનુપ્રેક્ષા
जं किंचि वि उप्पप्णं तस्स विणासो हवेइ णियमेण
परिणामसरूवेण वि ण य किंचि वि सासयं अत्थि ।।।।
यत्किंचिदपि उत्पन्नं तस्य विनाशो भवति नियमेन
परिणामस्वरूपेणपि न च किंचिदपि शाश्वतमस्ति ।।।।

અર્થઃજે કાંઈ ઉત્પન્ન થયું તેનો નિયમથી નાશ થાય છે અર્થાત્ પરિણામસ્વરૂપથી તો કોઈ પણ (વસ્તુ) શાશ્વત નથી.

ભાવાર્થઃસર્વ વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે; ત્યાં સામાન્ય તો દ્રવ્યને કહેવામાં આવે છે તથા વિશેષ, ગુણ-પર્યાયને કહેવામાં આવે છે. હવે દ્રવ્યથી તો વસ્તુ નિત્ય જ છે, ગુણ પણ નિત્ય જ છે; અને પર્યાય છે તે અનિત્ય છે, તેને પરિણામ પણ કહેવામાં આવે છે. આ જીવ પર્યાયબુદ્ધિવાળો હોવાથી પર્યાયને ઊપજતી-વિણસતી દેખીને હર્ષ-શોક કરે છે તથા તેને નિત્ય રાખવા ઇચ્છે છે; અને એ અજ્ઞાન વડે તે વ્યાકુળ થાય છે. તેથી તેણે આ ભાવના (અનુપ્રેક્ષા) ચિંતવવી યોગ્ય છેઃ

હું દ્રવ્યથી શાશ્વત આત્મદ્રવ્ય છું, આ ઊપજે છેવિણસે છે તે પર્યાયનો સ્વભાવ છે; તેમાં હર્ષ-વિષાદ શો? મનુષ્યપણું છે તે જીવ અને પુદ્ગલના સંયોગજનિત પર્યાય છે અને ધન-ધાન્યદિક છે તે પુદ્ગલના પરમાણુઓનો સ્કંધપર્યાય છે, એટલે તેનું મળવુંવિખરાવું નિયમથી અવશ્ય છે, છતાં તેમાં સ્થિરતાની બુદ્ધિ કરે છે એ જ મોહજનિત ભાવ છે. માટે વસ્તુસ્વરૂપ જાણી તેમાં હર્ષ-વિષાદદિરૂપ ન થવું. આગળ તેને જ વિશેષતાથી કહે છેઃ

जम्मं मरणेण समं संपज्जइ जोव्वणं जरासहियं
लच्छी विणाससहिया इय सव्वं भंगुरं मुणह ।।।।