૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
जन्म मरणेन समं सम्पद्यते यौवनं जरासहितम् ।
लक्ष्मीः विनाशसहिता इति सर्वं भंगुरं जानीहि ।।५।।
અર્થઃ — હે ભવ્ય! આ જન્મ છે તે તો મરણ સહિત છે, યૌવન
છે તે વૃદ્ધાવસ્થા સહિત ઊપજે છે અને લક્ષ્મી છે તે વિનાશ સહિત
ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ!
ભાવાર્થઃ — જેટલી અવસ્થાઓ જગતમાં છે તેટલી બધીય
પ્રતિપક્ષભાવ સહિત છે છતાં આ જીવ, જન્મ થાય ત્યારે તેને સ્થિર
જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે
છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રાપ્તિમાં હર્ષ, અપ્રાપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની
પ્રાપ્તિમાં વિષાદ અને અપ્રાપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાત્મ્ય
છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું.
अथिरं परियणसयणं पुत्तकलत्तं सुमित्तलावण्णं ।
गिहगोहणाइ सव्वं णवघणविंदेण सारिच्छं ।।६।।
अस्थिर परिजनस्वजनं पुत्रकलत्रं सुमित्रलावण्यम् ।
गृहगोधनादि सर्वं नवघनवृन्देन सदृशम् ।।६।।
અર્થઃ — જેમ નવીન મેઘનાં વાદળ તત્કાળ ઉદય પામીને વિલય
પામી જાય છે તેવી જ રીતે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી,
ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન આદિ સમસ્ત વસ્તુઓ
અસ્થિર છે.
ભાવાર્થઃ — એ સર્વ વસ્તુને અસ્થિર જાણી તેમાં હર્ષ-વિષાદ ન
કરવો.
सुरधणुतडिव्व चवला इंदियविसया सुभिच्चवग्गा य ।
दिट्ठपणट्ठा सव्वे तुरयगया रहवरादी य ।।७।।
सुरधनुस्तडिद्वच्चपला इन्द्रियविषयाः सुभृत्यवर्गाश्च ।
दृष्टप्रणष्टाः सर्वे तुरगगजाः रथवरादयश्च ।।७।।