Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 6-7.

< Previous Page   Next Page >


Page 6 of 297
PDF/HTML Page 30 of 321

 

૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા

जन्म मरणेन समं सम्पद्यते यौवनं जरासहितम्
लक्ष्मीः विनाशसहिता इति सर्वं भंगुरं जानीहि ।।।।

અર્થઃહે ભવ્ય! આ જન્મ છે તે તો મરણ સહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઊપજે છે અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ!

ભાવાર્થઃજેટલી અવસ્થાઓ જગતમાં છે તેટલી બધીય પ્રતિપક્ષભાવ સહિત છે છતાં આ જીવ, જન્મ થાય ત્યારે તેને સ્થિર જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રપ્તિમાં હર્ષ, અપ્રપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની પ્રપ્તિમાં વિષાદ અને અપ્રપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાત્મ્ય છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું.

अथिरं परियणसयणं पुत्तकलत्तं सुमित्तलावण्णं
गिहगोहणाइ सव्वं णवघणविंदेण सरिच्छं ।।।।
अस्थिर परिजनस्वजनं पुत्रकलत्रं सुमित्रलावण्यम्
गृहगोधनदि सर्वं नवघनवृन्देन सदृशम् ।।।।

અર્થઃજેમ નવીન મેઘનાં વાદળ તત્કાળ ઉદય પામીને વિલય પામી જાય છે તેવી જ રીતે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન અદિ સમસ્ત વસ્તુઓ અસ્થિર છે.

ભાવાર્થઃએ સર્વ વસ્તુને અસ્થિર જાણી તેમાં હર્ષ-વિષાદ ન કરવો.

सुरधणुतडिव्व चवला इंदियविसया सुभिच्चवग्गा य
दिट्ठपणट्ठा सव्वे तुरयगया रहवरादी य ।।।।
सुरधनुस्तडिद्वच्चपला इन्द्रियविषयाः सुभृत्यवर्गाश्च
दृष्टप्रणष्टाः सर्वे तुरगगजाः रथवरादयश्च ।।।।