Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 8-9.

< Previous Page   Next Page >


Page 7 of 297
PDF/HTML Page 31 of 321

 

background image
અધ્રુવાનુપ્રેક્ષા ]
[ ૭
અર્થઃઆ જગતમાં ઇન્દ્રિયોના વિષયો છે તે ઇન્દ્રધનુષ અને
વિજળીના ચમકાર જેવા ચંચળ છે; પ્રથમ દેખાય પછી તુરત જ વિલય
પામી જાય છે. વળી તેવી જ રીતે ભલા ચાકરોનો સમૂહ અને સારા
ઘોડા-હાથી-રથ છે તે સર્વ વસ્તુ પણ એ જ પ્રમાણે છે.
ભાવાર્થઃઆ જીવ, સારા સારા ઇન્દ્રિયવિષયો અને ઉત્તમ
નોકર, ઘોડા, હાથી અને રથાદિકની પ્રાપ્તિથી સુખ માને છે પરંતુ એ
સર્વ ક્ષણભંગુર છે. માટે અવિનાશી સુખનો ઉપાય કરવો જ યોગ્ય છે.
હવે બંધુજનોનો સંયોગ કેવો છે તે દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ
पंथे पहियजणाणं जह संजोओ हवेइ खणमित्तं
बंधुजणाणं च तहा संजोओ अद्ध्रुओ होइ ।।।।
पथि पथिकजनानां यथा संयोगो भवति क्षणमात्रम्
बन्धुजनानां च तथा संयोगः अध्रुवः भवति ।।।।
અર્થઃજેમ પંથમાં પથિકજનોનો સંયોગ ક્ષણમાત્ર છે, તે જ
પ્રમાણે સંસારમાં બંધુજનોનો સંયોગ પણ અસ્થિર છે.
ભાવાર્થઃઆ જીવ, બહોળો કુટુંબ-પરિવાર પામતાં
અભિમાનથી તેમાં સુખ માને છે અને એ મદ વડે પોતાના સ્વરૂપને
ભૂલે છે, પણ એ બંધુવર્ગાદિનો સંયોગ માર્ગના પથિકજન જેવો જ છે,
થોડા જ સમયમાં વિખરાઈ જાય છે. માટે એમાં જ સંતુષ્ટ થઈને
સ્વરૂપને ન ભૂલવું.
હવે આગળ દેહના સંયોગની અસ્થિરતા દર્શાવે છેઃ
अइलालिओ वि देहो ण्हाणसुयंधेहिं विविहभक्खेहिं
खणमित्तेण वि विहडइ जलभरिओ आमघडओ व्व ।।।।
अतिलालितः अपि देहः स्नानसुगन्धैः विविधभक्ष्यैः
क्षणमात्रेण अपि विघटते जलभृतः आमघटः इव ।।।।