Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 10-11.

< Previous Page   Next Page >


Page 8 of 297
PDF/HTML Page 32 of 321

 

૮ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા

અર્થઃજુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારનાં ભોજનદિ ભક્ષ્યો વડે પાલન કરવા છતાં પણ, જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે.

ભાવાર્થઃએવા આ શરીરમાં સ્થિરબુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે.

આગળ લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છેઃ

जा सासया ण लच्छी चक्कहराणं पि पुण्णवंताणं
सा किं बंधेइ रइं इयरजणाणं अपुण्णाणं ।।१०।।
या शाश्वता न लक्ष्मीः चक्रधराणां अपि पुण्यवताम्
सा किं बध्नति रतिं इतरजनानां अपुण्यानाम् ।।१०।।

અર્થઃજે લક્ષ્મી અર્થાત્ સંપદા (ઉત્કૃષ્ટ) પુણ્યકર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વતરૂપ નથી તો અન્ય જે પુણ્યોદય વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ ન બાંધે.

ભાવાર્થઃએ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે.

આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છેઃ

कत्थवि ण रमइ लच्छी कुलीणधीरे वि पंडिए सूरे
पुज्जे धम्मिट्ठे वि य सुरूवसुयणे महासत्ते ।।११।।
कुत्र अपि न रमते लक्ष्मीः कुलीनधीरे अपि पण्डिते शूरे
पूज्ये धर्मिष्ठ अपि च सरूपसुजने महासत्त्वे ।।११।।

અર્થઃઆ લક્ષ્મીસંપદા કુળવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહા પરાક્રમી ઇત્યદિ કોઈ પુરુષોમાં પણ રાચતી નથી.