અર્થઃ — જુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ
વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારનાં ભોજનાદિ ભક્ષ્યો વડે
પાલન કરવા છતાં પણ, જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં
વિલય પામી જાય છે.
ભાવાર્થઃ — એવા આ શરીરમાં સ્થિરબુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે.
આગળ લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છેઃ —
जा सासया ण लच्छी चक्कहराणं पि पुण्णवंताणं ।
सा किं बंधेइ रइं इयरजणाणं अपुण्णाणं ।।१०।।
या शाश्वता न लक्ष्मीः चक्रधराणां अपि पुण्यवताम् ।
सा किं बध्नाति रतिं इतरजनानां अपुण्यानाम् ।।१०।।
અર્થઃ — જે લક્ષ્મી અર્થાત્ સંપદા (ઉત્કૃષ્ટ) પુણ્યકર્મના ઉદય
સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વતરૂપ નથી તો અન્ય જે પુણ્યોદય
વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ
ન બાંધે.
ભાવાર્થઃ — એ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે
છે તે વૃથા છે.
આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છેઃ —
कत्थवि ण रमइ लच्छी कुलीणधीरे वि पंडिए सूरे ।
पुज्जे धम्मिट्ठे वि य सुरूवसुयणे महासत्ते ।।११।।
कुत्र अपि न रमते लक्ष्मीः कुलीनधीरे अपि पण्डिते शूरे ।
पूज्ये धर्मिष्ठ अपि च सरूपसुजने महासत्त्वे ।।११।।
અર્થઃ — આ લક્ષ્મી – સંપદા કુળવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ,
પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહા પરાક્રમી ઇત્યાદિ કોઈ
પુરુષોમાં પણ રાચતી નથી.
૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા