પ્રાયશ્ચિત્ત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત્ત છે. વળી
(પ્રાયશ્ચિત્ત શબ્દનો) બીજો અર્થ એવો પણ છે કે – ‘પ્રાયઃ’ નામ
અપરાધનું છે, તેને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેને પ્રાયશ્ચિત્ત કહીએ
છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે
પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન-વચન-કાય અને કૃત-કારિત
-અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ
જ પ્રાયશ્ચિત્ત★ નામનું તપ છે.
अह कह वि पमादेण य दोसो जदि एदि तं पि पयडेदि ।
णिद्दोससाहुमूले दसदोसविवज्जिदो होदुं ।।४५२।।
अथ कथमपि प्रामदेन च दोषः यदि एति तं अपि प्रकटयति ।
निर्दोषसाधुमूले दशदोषविवर्जितः भवितुम् ।।४५२।।
અર્થઃ — અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ
આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ – આચાર્યની નિકટ દશ દોષ
રહિતપણે પ્રગટ કરે – આલોચન કરે.
ભાવાર્થઃ — પ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો
આચાર્ય પાસે જઈ દશ દોષ રહિત આલોચના કરે. પાંચ ઇન્દ્રિય, ચાર
કષાય, ચાર વિકથા, એક નિદ્રા અને એક સ્નેહ એ પાંચે પ્રમાદ છે
તેના પંદર ભેદ છે❃ (વિશેષ) ભંગોની અપેક્ષાએ તેના ઘણા (૩૭૫૦૦)
ભેદ છે, તેમનાથી દોષ લાગે છે.
દ્વાદશ તપ ][ ૨૫૯
★ યતિના આચારમાં દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે યથાઃ —
आलोयणपडिकमणं उभय विवेगो तहा विउस्सग्गो ।
तवछेदो मूलं पि य परिहरो चेव सद्दहणं ।।
મૂલાચાર – પંચાચારાધિકાર ગા. ૧૬૫
❃विकहा तहा कसाया इंदियणिद्दा तहेव पणओ य ।
चदु चदु पणमेगेगं होंति पमादा हु पण्णरस ।।
ગો. જી. ગા. ૩૪