Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 452.

< Previous Page   Next Page >


Page 259 of 297
PDF/HTML Page 283 of 321

 

દ્વાદશ તપ ][ ૨૫૯ પ્રાયશ્ચિત્ત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત્ત છે. વળી (પ્રાયશ્ચિત્ત શબ્દનો) બીજો અર્થ એવો પણ છે કે‘પ્રાયઃ’ નામ અપરાધનું છે, તેને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેને પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન-વચન-કાય અને કૃત-કારિત -અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ જ પ્રાયશ્ચિત્ત નામનું તપ છે.

अह कह वि पमादेण य दोसो जदि एदि तं पि पयडेदि
णिद्दोससाहुमूले दसदोसविवज्जिदो होदुं ।।४५२।।
अथ कथमपि प्रामदेन च दोषः यदि एति तं अपि प्रकटयति
निर्दोषसाधुमूले दशदोषविवर्जितः भवितुम् ।।४५२।।

અર્થઃઅથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુઆચાર્યની નિકટ દશ દોષ રહિતપણે પ્રગટ કરેઆલોચન કરે.

ભાવાર્થઃપ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ દશ દોષ રહિત આલોચના કરે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ચાર વિકથા, એક નિદ્રા અને એક સ્નેહ એ પાંચે પ્રમાદ છે તેના પંદર ભેદ છે (વિશેષ) ભંગોની અપેક્ષાએ તેના ઘણા (૩૭૫૦૦) ભેદ છે, તેમનાથી દોષ લાગે છે.

યતિના આચારમાં દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે યથાઃ

आलोयणपडिकमणं उभय विवेगो तहा विउस्सग्गो
तवछेदो मूलं पि य परिहरो चेव सद्दहणं ।।
મૂલાચારપંચાચારાધિકાર ગા. ૧૬૫
विकहा तहा कसाया इंदियणिद्दा तहेव पणओ य
चदु चदु पणमेगेगं होंति पमादा हु पण्णरस ।।
ગો. જી. ગા. ૩૪