Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 260 of 297
PDF/HTML Page 284 of 321

 

૨૬૦ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

વળી આલોચનાના દશ દોષ છે. તેનાં નામઆકંપિત, અનુમાનિત, બાદર, સૂક્ષ્મ, દ્રષ્ટ, પ્રચ્છન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સેવીએ દશ દોષ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કેઃ

૧. આચાર્યને ઉપકરણાદિક આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવી જાણે કે ‘આમ કરવાથી મને પ્રાયશ્ચિત્ત થોડું આપશે’ એમ વિચારી આલોચના કરે તે આકંપિતદોષ છે.

૨. વચન દ્વારા જ આચાર્યનાં વખાણ આદિ કરી આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે ‘આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત્ત થોડું આપશે’; તે અનુમાનિતદોષ છે.

૩. પ્રત્યક્ષ દેખાતા દોષ હોય તે કહે પણ અણદેખાતા ન કહે તે દ્રષ્ટદોષ છે.

૪. સ્થૂલમોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે તે બાદર દોષ છે.

૫. ‘સૂક્ષ્મ જેણે કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે’ એવા માયાચારથી જે સૂક્ષ્મદોષ જ કહે પણ બાદર ન કહે તે સૂક્ષ્મ દોષ છે.

૬. છુપાવીને કહે, તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી દીધો હોય ત્યારે જ કહે કે ‘એવો જ દોષ મને લાગ્યો છે’ પણ દોષનું નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્નદોષ છે.

૭. ‘રખે કોઈ સાંભળી ન જાય!’ એવા અભિપ્રાયથી ઘણાં શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે તે શબ્દાકુલિતદોષ છે.

૮. પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ પાસે પણ આલોચના કરે તે આવા અભિપ્રાયથી કે ‘આનું પ્રાયશ્ચિત્ત

आकंपिय अणुमाणिय जं दिट्ठं बादरं च सुहुमं च
छण्णं सद्दाउलियं बहुजणमव्वत्त तस्सेवी ।।
(ભગવતી આરાધના પૃષ્ઠ ૨૫૭ તથા
મૂલાચાર ભા. ૨ શીલગુણાધિકારગા. ૧૫)