Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 454-455.

< Previous Page   Next Page >


Page 262 of 297
PDF/HTML Page 286 of 321

 

background image
અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન
જોઈ આચાર્ય યથાવિધિ પ્રાયશ્ચિત્ત આપે છે તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે
પણ તેમાં સંશય ન કરે.
पुणरवि काउं णेच्छदि तं दोसं जइ वि जाइ सयखंडं
एवं णिच्छयसहिदो पायच्छित्तं तवो होदि ।।४५४।।
पुनः अपि कर्तुं न इच्छति तं दोषं यद्यपि याति शतखण्डम्
एवं निश्चयसहितः प्रायश्चित्तं तपः भवति ।।४५४।।
અર્થઃલાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત લઈને પાછો તે દોષને કરવા
ન ઇચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરેએવા
નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત્ત નામનું તપ હોય છે.
ભાવાર્થઃચિત્ત એવું દ્રઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ
થઈ જાય તોપણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે
પ્રાયશ્ચિત્તતપ છે.
जो चिंतइ अप्पाणं णाणसरूवं पुणो पुणो णाणी
विकहादिविरत्तमणो पायच्छित्तं वरं तस्स ।।४५५।।
यः चिन्तयति आत्मानं ज्ञानस्वरूपं पुनः पुनः ज्ञानी
विकथादिविरक्तमनाः प्रायश्चित्तं वरं तस्य ।।४५५।।
અર્થઃજે જ્ઞાની મુનિ આત્માને વારંવારફરી ફરી જ્ઞાનસ્વરૂપ
ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર
સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત્ત હોય છે.
ભાવાર્થઃનિશ્ચયપ્રાયશ્ચિત્ત એ છે કેજેમાં સર્વ પ્રાયશ્ચિત્તના
ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ
આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે
પ્રાયશ્ચિત્ત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો.
હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છેઃ
૨૬૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા