૨૬૨ ]
અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન જોઈ આચાર્ય યથાવિધિ પ્રાયશ્ચિત્ત આપે છે તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે પણ તેમાં સંશય ન કરે.
અર્થઃ — લાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત લઈને પાછો તે દોષને કરવા ન ઇચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરે — એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત્ત નામનું તપ હોય છે.
ભાવાર્થઃ — ચિત્ત એવું દ્રઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ થઈ જાય તોપણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે પ્રાયશ્ચિત્તતપ છે.
અર્થઃ — જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર – ફરી ફરી જ્ઞાનસ્વરૂપ ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત્ત હોય છે.
ભાવાર્થઃ — નિશ્ચયપ્રાયશ્ચિત્ત એ છે કે — જેમાં સર્વ પ્રાયશ્ચિત્તના ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો.
હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છેઃ —