અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન
જોઈ આચાર્ય યથાવિધિ પ્રાયશ્ચિત્ત આપે છે તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે
પણ તેમાં સંશય ન કરે.
पुणरवि काउं णेच्छदि तं दोसं जइ वि जाइ सयखंडं ।
एवं णिच्छयसहिदो पायच्छित्तं तवो होदि ।।४५४।।
पुनः अपि कर्तुं न इच्छति तं दोषं यद्यपि याति शतखण्डम् ।
एवं निश्चयसहितः प्रायश्चित्तं तपः भवति ।।४५४।।
અર્થઃ — લાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત લઈને પાછો તે દોષને કરવા
ન ઇચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરે — એવા
નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત્ત નામનું તપ હોય છે.
ભાવાર્થઃ — ચિત્ત એવું દ્રઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ
થઈ જાય તોપણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે
પ્રાયશ્ચિત્તતપ છે.
जो चिंतइ अप्पाणं णाणसरूवं पुणो पुणो णाणी ।
विकहादिविरत्तमणो पायच्छित्तं वरं तस्स ।।४५५।।
यः चिन्तयति आत्मानं ज्ञानस्वरूपं पुनः पुनः ज्ञानी ।
विकथादिविरक्तमनाः प्रायश्चित्तं वरं तस्य ।।४५५।।
અર્થઃ — જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર – ફરી ફરી જ્ઞાનસ્વરૂપ
ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર
સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત્ત હોય છે.
ભાવાર્થઃ — નિશ્ચયપ્રાયશ્ચિત્ત એ છે કે — જેમાં સર્વ પ્રાયશ્ચિત્તના
ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ
આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે
પ્રાયશ્ચિત્ત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો.
હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છેઃ —
૨૬૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા