विणओ पंचपयारो दंसणणाणे तहा चरित्ते य ।
बारसभेयम्मि तवे उवयारो बहुविहो णेओ ।।४५६।।
विनयः पंचप्रकारः दर्शनज्ञाने तथा चारित्रे च ।
द्वादशभेदे तपसि उपचारः बहुविधः ज्ञेयः ।।४५६।।
અર્થઃ — વિનયના પાંચ પ્રકાર છે. દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો,
બાર ભેદરૂપ તપનો વિનય તથા બહુવિધ ઉપચારવિનય.
दंसणणाणचरित्ते सुविशुद्धो जो हवेइ परिणामो ।
बारसभेदे वि तवे सो च्चिय विणओ हवे तेसिं ।।४५७।।
दर्शनज्ञानचारित्रे सुविशुद्धः यः भवति परिणामः ।
द्वादशभेदे अपि तपसि सः एव विनयः भवेत् तेषाम् ।।४५७।।
અર્થઃ — દર્શન-જ્ઞાન-ચારિત્રમાં તથા બાર ભેદરૂપ તપમાં જે
વિશુદ્ધપરિણામ થાય છે તે જ તેમનો વિનય છે.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શનના શંકાદિક અતિચારરહિત પરિણામ
થાય તે દર્શનવિનય છે, જ્ઞાનનો સંશયાદિરહિત પરિણામે અષ્ટાંગ
અભ્યાસ કરવો તે જ્ઞાનવિનય છે, અતિચારરહિત અહિંસાદિ
પરિણામપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્રવિનય છે, એ જ પ્રમાણે
તપોનાં ભેદોને નિરખી – દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપવિનય છે.
रयणत्तयजुत्ताणं अणुकूलं जो चरेदि भत्तीए ।
भिच्चो जह रायाणं उवयारो सो हवे विणओ ।।४५८।।
रत्नत्रययुक्तानां अनुकूलं यः चरति भक्त्या ।
भृत्यः यथा राज्ञां उपचारः सः भवेत् विनयः ।।४५८।।
અર્થઃ — સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ધારક મુનિજનોનું
અનુકૂળ ભક્તિપૂર્વક અનુચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ
પ્રવર્તે છે તેમ, તે ઉપચારવિનય છે.
ભાવાર્થઃ — જેમ રાજાનો ચાકર – કિંકરલોક રાજાને અનુકૂળ
દ્વાદશ તપ ][ ૨૬૩