દ્વાદશ તપ ][ ૨૬૫
અર્થઃ — જે મુનિ શમદમભાવરૂપ પોતાના આત્મસ્વરૂપમાં શુદ્ધોપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોકવ્યવહારરૂપ બાહ્ય વૈયાવૃત્યથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ (નિશ્ચય) વૈયાવૃત્ત્ય હોય છે
ભાવાર્થઃ — શમ એટલે રાગ-દ્વેષરહિત સામ્યભાવ તથા દમ એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એવા જે શમદમરૂપ પોતાના આત્મસ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે, તેમને લોકવ્યવહારરૂપ બાહ્ય- વૈયાવૃત્ત્ય શા માટે હોય? તેમને તો નિશ્ચયવૈયાવૃત્ય જ હોય છે. શુદ્ધોપયોગી મુનિજનોની આ રીત છે.
હવે છ ગાથાઓમાં સ્વાધ્યાયતપને કહે છેઃ —
અર્થઃ — જે મુનિ પરનિન્દામાં નિરપેક્ષ છે – વાંચ્છારહિત છે તથા મનના દુષ્ટ – ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે તેમને તત્ત્વનો નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવાવાળું સ્વાધ્યાય નામનું તપ હોય છે.
ભાવાર્થઃ — જે પરનિંદા કરવામાં પરિણામ રાખે છે તથા મનમાં આર્ત્ત – રૌદ્રધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે, તેનાથી શાસ્ત્રાભ્યાસરૂપ સ્વાધ્યાય શી રીતે થાય? માટે એ સર્વ છોડીને જે સ્વાધ્યાય કરે તેને તત્ત્વનો નિશ્ચય તથા ધર્મ – શુક્લધ્યાનની સિદ્ધિ થાય. એવું સ્વાધ્યાયતપ છે.