Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 461-462.

< Previous Page   Next Page >


Page 265 of 297
PDF/HTML Page 289 of 321

 

દ્વાદશ તપ ][ ૨૬૫

અર્થઃજે મુનિ શમદમભાવરૂપ પોતાના આત્મસ્વરૂપમાં શુદ્ધોપયોગથી યુક્ત થઈને પ્રવર્તે છે તથા લોકવ્યવહારરૂપ બાહ્ય વૈયાવૃત્યથી જે વિરક્ત છે તેમને ઉત્કૃષ્ટ (નિશ્ચય) વૈયાવૃત્ત્ય હોય છે

ભાવાર્થઃશમ એટલે રાગ-દ્વેષરહિત સામ્યભાવ તથા દમ એટલે ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એવા જે શમદમરૂપ પોતાના આત્મસ્વરૂપમાં જે મુનિ તલ્લીન હોય છે, તેમને લોકવ્યવહારરૂપ બાહ્ય- વૈયાવૃત્ત્ય શા માટે હોય? તેમને તો નિશ્ચયવૈયાવૃત્ય જ હોય છે. શુદ્ધોપયોગી મુનિજનોની આ રીત છે.

હવે છ ગાથાઓમાં સ્વાધ્યાયતપને કહે છેઃ

परतत्तीणिरवेक्खो दुट्ठवियप्पाण णासणसमत्थो
तच्चविणिच्छयहेदू सज्झाओ झाणसिद्धियरो ।।४६१।।
परतातिनिरपेक्षः दुष्टविकल्पानां नाशनसमर्थः
तत्त्वविनिश्चयहेतुः स्वाध्यायः ध्यानसिद्धिकरः ।।४६१।।

અર્થઃજે મુનિ પરનિન્દામાં નિરપેક્ષ છેવાંચ્છારહિત છે તથા મનના દુષ્ટખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે તેમને તત્ત્વનો નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવાવાળું સ્વાધ્યાય નામનું તપ હોય છે.

ભાવાર્થઃજે પરનિંદા કરવામાં પરિણામ રાખે છે તથા મનમાં આર્ત્તરૌદ્રધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે, તેનાથી શાસ્ત્રાભ્યાસરૂપ સ્વાધ્યાય શી રીતે થાય? માટે એ સર્વ છોડીને જે સ્વાધ્યાય કરે તેને તત્ત્વનો નિશ્ચય તથા ધર્મશુક્લધ્યાનની સિદ્ધિ થાય. એવું સ્વાધ્યાયતપ છે.

पूयादिसु णिरवेक्खो जिणसत्थं जो पढेइ भत्तीए
कम्ममलसोहणट्ठं सुयलाहो सुहयरो तस्स ।।४६२।।
पूजादिषु निरपेक्षः जिनशास्त्रं यः पठति भक्त्या
कर्ममलशोधनार्थं श्रुतलाभः सुखकरः तस्य ।।४६२।।