અર્થઃ — જે મુનિ પોતાનાં પૂજા – માહાત્મ્યાદિમાં તો નિરપેક્ષ
હોય – વાંચ્છારહિત હોય તથા ભક્તિપૂર્વક, કર્મમળ શોધન અર્થે,
શાસ્ત્રાભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે.
ભાવાર્થઃ — જે પોતાના પૂજા – મહિમા આદિ માટે શાસ્ત્રાભ્યાસ
કરે છે તેને શાસ્ત્રાભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય
અર્થે જ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે.
जो जिणसत्थं सेवदि पंडियमाणी फलं समीहंतो ।
साहम्मियपडिकूलो सत्थं पि विसं हवे तस्स ।।४६३।।
यः जिनशास्त्रं सेवते पण्डितमानी फलं समीहन् ।
साधर्मिकप्रतिकूलः शास्त्रं अपि विषं भवेत् तस्य ।।४६३।।
અર્થઃ — જે પુરુષ જિનશાસ્ત્ર તો ભણે છે અને પોતાનાં પૂજા
– લાભ – સત્કાર ઇચ્છે છે તથા જે સાધર્મી – સમ્યગ્દ્રષ્ટિ – જૈનજનોથી પ્રતિકૂળ
છે તે પંડિતંમન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને
છે તેને પંડિતંમન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે.
ભાવાર્થઃ — જે જિનશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્રકષાયી
તથા ભોગાભિલાષી હોય, જૈનીજનોથી પ્રતિકૂળતા રાખે, એવા
પંડિતંમન્યને શાસ્ત્ર જ વિષ થાય છે, તે મુનિ પણ હોય તો પણ તેને
વેષધારી – પાખંડી જ કહીએ છીએ.
जो जुद्धकामसत्थं रायदोसेहिं परिणदो पढइ ।
लोयावंचणहेदुं सज्झाओ णिप्फलो तस्स ।।४६४।।
यः युद्धकामशास्त्रं रागद्वेषाभ्यां परिणतः पठति ।
लोकवञ्चनहेतुं स्वाध्यायः निष्फलः तस्य ।।४६४।।
અર્થઃ — જે પુરુષ યુદ્ધનાં તથા કામકથાનાં શાસ્ત્ર રાગ-દ્વેષ
પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે.
ભાવાર્થઃ — જે પુરુષ યુદ્ધનાં, કામકુતૂહલનાં, મંત્ર – જ્યોતિષ
૨૬૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા