Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 463-464.

< Previous Page   Next Page >


Page 266 of 297
PDF/HTML Page 290 of 321

 

background image
અર્થઃજે મુનિ પોતાનાં પૂજામાહાત્મ્યાદિમાં તો નિરપેક્ષ
હોયવાંચ્છારહિત હોય તથા ભક્તિપૂર્વક, કર્મમળ શોધન અર્થે,
શાસ્ત્રાભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે.
ભાવાર્થઃજે પોતાના પૂજામહિમા આદિ માટે શાસ્ત્રાભ્યાસ
કરે છે તેને શાસ્ત્રાભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય
અર્થે જ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે.
जो जिणसत्थं सेवदि पंडियमाणी फलं समीहंतो
साहम्मियपडिकूलो सत्थं पि विसं हवे तस्स ।।४६३।।
यः जिनशास्त्रं सेवते पण्डितमानी फलं समीहन्
साधर्मिकप्रतिकूलः शास्त्रं अपि विषं भवेत् तस्य ।।४६३।।
અર્થઃજે પુરુષ જિનશાસ્ત્ર તો ભણે છે અને પોતાનાં પૂજા
લાભસત્કાર ઇચ્છે છે તથા જે સાધર્મીસમ્યગ્દ્રષ્ટિજૈનજનોથી પ્રતિકૂળ
છે તે પંડિતંમન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને
છે તેને પંડિતંમન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે.
ભાવાર્થઃજે જિનશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્રકષાયી
તથા ભોગાભિલાષી હોય, જૈનીજનોથી પ્રતિકૂળતા રાખે, એવા
પંડિતંમન્યને શાસ્ત્ર જ વિષ થાય છે, તે મુનિ પણ હોય તો પણ તેને
વેષધારી
પાખંડી જ કહીએ છીએ.
जो जुद्धकामसत्थं रायदोसेहिं परिणदो पढइ
लोयावंचणहेदुं सज्झाओ णिप्फलो तस्स ।।४६४।।
यः युद्धकामशास्त्रं रागद्वेषाभ्यां परिणतः पठति
लोकवञ्चनहेतुं स्वाध्यायः निष्फलः तस्य ।।४६४।।
અર્થજે પુરુષ યુદ્ધનાં તથા કામકથાનાં શાસ્ત્ર રાગ-દ્વેષ
પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે.
ભાવાર્થઃજે પુરુષ યુદ્ધનાં, કામકુતૂહલનાં, મંત્રજ્યોતિષ
૨૬૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા