૨૬૬ ]
અર્થઃ — જે મુનિ પોતાનાં પૂજા – માહાત્મ્યાદિમાં તો નિરપેક્ષ હોય – વાંચ્છારહિત હોય તથા ભક્તિપૂર્વક, કર્મમળ શોધન અર્થે, શાસ્ત્રાભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે.
ભાવાર્થઃ — જે પોતાના પૂજા – મહિમા આદિ માટે શાસ્ત્રાભ્યાસ કરે છે તેને શાસ્ત્રાભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય અર્થે જ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે.
અર્થઃ — જે પુરુષ જિનશાસ્ત્ર તો ભણે છે અને પોતાનાં પૂજા – લાભ – સત્કાર ઇચ્છે છે તથા જે સાધર્મી – સમ્યગ્દ્રષ્ટિ – જૈનજનોથી પ્રતિકૂળ છે તે પંડિતંમન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને છે તેને પંડિતંમન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે.
ભાવાર્થઃ — જે જિનશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્રકષાયી તથા ભોગાભિલાષી હોય, જૈનીજનોથી પ્રતિકૂળતા રાખે, એવા પંડિતંમન્યને શાસ્ત્ર જ વિષ થાય છે, તે મુનિ પણ હોય તો પણ તેને વેષધારી – પાખંડી જ કહીએ છીએ.
અર્થઃ — જે પુરુષ યુદ્ધનાં તથા કામકથાનાં શાસ્ત્ર રાગ-દ્વેષ પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે.
ભાવાર્થઃ — જે પુરુષ યુદ્ધનાં, કામકુતૂહલનાં, મંત્ર – જ્યોતિષ