Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 467-468.

< Previous Page   Next Page >


Page 268 of 297
PDF/HTML Page 292 of 321

 

background image
અર્થજે મુનિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અને શરીરથી
ભિન્ન જાણતો નથી તે આગમનો પાઠ કરે છે તોપણ શાસ્ત્રને જાણતો નથી.
ભાવાર્થઃજે મુનિ શરીરથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણતો નથી તે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે તોપણ અભ્યાસ વિનાનો જ
છે. શાસ્ત્રાભ્યાસનો સાર તો એ છે કે પોતાનું સ્વરૂપ જાણી રાગ
-દ્વેષરહિત થવું. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે
શું ભણ્યો? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ
છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પ્રમાણે
પાંચે પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે અને તે વ્યવહાર પણ નિશ્ચયના
માટે હોય તો તે વ્યવહાર સાચો છે; બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહાર
થોથું છે.
હવે વ્યુત્સર્ગતપ કહે છેેઃ
जल्लमललित्तगत्तो दुस्सहवाहीसु णिप्पडीयारो
मुहधोवणादिविरओ भोयणसेज्जादिणिरवेक्खो ।।४६७।।
ससरूवचिंतणरओ दुज्जणसुयणाण जो हु मज्झत्थो
देहे वि णिम्ममत्तो काओसग्गो तवो तस्स ।।४६८।।
जल्लमललिप्तगात्रः दुःसहव्याधिषु निःप्रतीकारः
मुखधोवनादिविरतः भोजनशय्यादिनिरपेक्षः ।।४६७।।
स्वस्वरूपचिन्तनरतः दुर्जनसज्जनानां यः स्फु टं मध्यस्थः
देहे अपि निर्ममत्वः कायोत्सर्गः तपः तस्य ।।४६८।।
અર્થજે મુનિ જલ્લ અર્થાત્ પરસેવો તથા મળથી લિપ્ત
શરીરયુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ
તેનો પ્રતિકાર
ઇલાજ કરે નહિ, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન
કરે, ભોજનશૈય્યાદિની વાંચ્છા ન કરે, પોતાના સ્વરૂપચિંતવનમાં રત
લીન હોય, દુર્જનસજ્જનમાં મધ્યસ્થ હોય, શત્રુમિત્ર બંનેને બરાબર
૨૬૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા