૨૬૮ ]
અર્થઃ — જે મુનિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અને શરીરથી ભિન્ન જાણતો નથી તે આગમનો પાઠ કરે છે તોપણ શાસ્ત્રને જાણતો નથી.
ભાવાર્થઃ — જે મુનિ શરીરથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતો નથી તે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે તોપણ અભ્યાસ વિનાનો જ છે. શાસ્ત્રાભ્યાસનો સાર તો એ છે કે પોતાનું સ્વરૂપ જાણી રાગ -દ્વેષરહિત થવું. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે શું ભણ્યો? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પ્રમાણે પાંચે પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે અને તે વ્યવહાર પણ નિશ્ચયના માટે હોય તો તે વ્યવહાર સાચો છે; બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહાર થોથું છે.
હવે વ્યુત્સર્ગતપ કહે છેેઃ —
અર્થઃ — જે મુનિ જલ્લ અર્થાત્ પરસેવો તથા મળથી લિપ્ત શરીરયુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ તેનો પ્રતિકાર – ઇલાજ કરે નહિ, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન કરે, ભોજન – શૈય્યાદિની વાંચ્છા ન કરે, પોતાના સ્વરૂપ – ચિંતવનમાં રત – લીન હોય, દુર્જન – સજ્જનમાં મધ્યસ્થ હોય, શત્રુ – મિત્ર બંનેને બરાબર