૨૭૦ ]
અર્થઃ — મનસંબંધી જ્ઞાન વસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર લીન થવું – એકાગ્ર થવું તેને સિદ્ધાન્તમાં ધ્યાન કહ્યું છે, અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારનું કહ્યું છે.
ભાવાર્થઃ — પરમાર્થથી જ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ જ ધ્યાન છે, અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞેયવસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર એકાગ્ર સ્થિર થાય તે ધ્યાન છે અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારથી છે.
હવે શુભ – અશુભ ધ્યાનનાં નામ તથા સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — આર્ત અને રૌદ્ર એ બંને તો અશુભધ્યાન છે તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બંને શુભ તથા શુભતર છે. તેમાં પ્રથમનું આર્તધ્યાન તો તીવ્રકષાયથી થાય છે તથા રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયથી થાય છે.
અર્થઃ — ધર્મધ્યાન મંદકષાયથી થાય છે, અને શુક્લધ્યાન મહામુનિ શ્રેણી ચઢે ત્યારે તેમને અતિશય મંદકષાયથી થાય છે, તથા કષાયનો અભાવ થતાં શ્રુતજ્ઞાની – ઉપશાંતકષાયી, ક્ષીણકષાયીને તથા કેવળજ્ઞાની – સયોગકેવળી, અયોગકેવળીને પણ શુક્લધ્યાન હોય છે.