अन्तर्मुहूर्त्तमात्रं लीनं वस्तुनि मानसं ज्ञानम् ।
ध्यानं भण्यते समये अशुभं च शुभं च तत् द्विविधम् ।।४७०।।
અર્થઃ — મનસંબંધી જ્ઞાન વસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર લીન થવું
– એકાગ્ર થવું તેને સિદ્ધાન્તમાં ધ્યાન કહ્યું છે, અને તે શુભ તથા અશુભ
એવા બે પ્રકારનું કહ્યું છે.
ભાવાર્થઃ — પરમાર્થથી જ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ જ ધ્યાન છે,
અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞેયવસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર એકાગ્ર સ્થિર
થાય તે ધ્યાન છે અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારથી છે.
હવે શુભ – અશુભ ધ્યાનનાં નામ તથા સ્વરૂપ કહે છેઃ —
असुहं अट्ट-रउद्दं धम्मं सुक्कं च सुहयरं होदि ।
अट्टं तिव्वकसायं तिव्वतमकसायदो रुद्दं ।।४७१।।
अशुभं आर्त-रौद्रं धर्म्यं शुक्लं च शुभकरं भवति ।
आर्त्तं तीव्रकषायं तीव्रतमकषायतः रौद्रम् ।।४७१।।
અર્થઃ — આર્ત અને રૌદ્ર એ બંને તો અશુભધ્યાન છે તથા ધર્મધ્યાન
અને શુક્લધ્યાન એ બંને શુભ તથા શુભતર છે. તેમાં પ્રથમનું આર્તધ્યાન
તો તીવ્રકષાયથી થાય છે તથા રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયથી થાય છે.
मंदकषायं धम्मं मंदतमकसायदो हवे सुक्कं ।
अकसाए वि सुयड्ढे केवलणाणे वि तं होदि ।।४७२।।
मन्दकषायं धर्म्यं मन्दतमकषायतः भवेत् शुक्लम् ।
अकषाये अपि श्रुताढये केवलज्ञाने अपि तत् भवति ।।४७२।।
અર્થઃ — ધર્મધ્યાન મંદકષાયથી થાય છે, અને શુક્લધ્યાન
મહામુનિ શ્રેણી ચઢે ત્યારે તેમને અતિશય મંદકષાયથી થાય છે, તથા
કષાયનો અભાવ થતાં શ્રુતજ્ઞાની – ઉપશાંતકષાયી, ક્ષીણકષાયીને તથા
કેવળજ્ઞાની – સયોગકેવળી, અયોગકેવળીને પણ શુક્લધ્યાન હોય છે.
૨૭૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા