Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 471-472.

< Previous Page   Next Page >


Page 270 of 297
PDF/HTML Page 294 of 321

 

૨૭૦ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
अन्तर्मुहूर्त्तमात्रं लीनं वस्तुनि मानसं ज्ञानम्
ध्यानं भण्यते समये अशुभं च शुभं च तत् द्विविधम् ।।४७०।।

અર્થમનસંબંધી જ્ઞાન વસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર લીન થવું એકાગ્ર થવું તેને સિદ્ધાન્તમાં ધ્યાન કહ્યું છે, અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારનું કહ્યું છે.

ભાવાર્થઃપરમાર્થથી જ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ જ ધ્યાન છે, અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞેયવસ્તુમાં અંતર્મુહૂર્તમાત્ર એકાગ્ર સ્થિર થાય તે ધ્યાન છે અને તે શુભ તથા અશુભ એવા બે પ્રકારથી છે.

હવે શુભઅશુભ ધ્યાનનાં નામ તથા સ્વરૂપ કહે છેઃ

असुहं अट्ट-रउद्दं धम्मं सुक्कं च सुहयरं होदि
अट्टं तिव्वकसायं तिव्वतमकसायदो रुद्दं ।।४७१।।
अशुभं आर्त-रौद्रं धर्म्यं शुक्लं च शुभकरं भवति
आर्त्तं तीव्रकषायं तीव्रतमकषायतः रौद्रम् ।।४७१।।

અર્થઆર્ત અને રૌદ્ર એ બંને તો અશુભધ્યાન છે તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બંને શુભ તથા શુભતર છે. તેમાં પ્રથમનું આર્તધ્યાન તો તીવ્રકષાયથી થાય છે તથા રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયથી થાય છે.

मंदकषायं धम्मं मंदतमकसायदो हवे सुक्कं
अकसाए वि सुयड्ढे केवलणाणे वि तं होदि ।।४७२।।
मन्दकषायं धर्म्यं मन्दतमकषायतः भवेत् शुक्लम्
अकषाये अपि श्रुताढये केवलज्ञाने अपि तत् भवति ।।४७२।।

અર્થધર્મધ્યાન મંદકષાયથી થાય છે, અને શુક્લધ્યાન મહામુનિ શ્રેણી ચઢે ત્યારે તેમને અતિશય મંદકષાયથી થાય છે, તથા કષાયનો અભાવ થતાં શ્રુતજ્ઞાનીઉપશાંતકષાયી, ક્ષીણકષાયીને તથા કેવળજ્ઞાનીસયોગકેવળી, અયોગકેવળીને પણ શુક્લધ્યાન હોય છે.