Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 473-474.

< Previous Page   Next Page >


Page 271 of 297
PDF/HTML Page 295 of 321

 

દ્વાદશ તપ ][ ૨૭૧

ભાવાર્થઃપંચપરમેષ્ઠી, દશલક્ષણસ્વરૂપધર્મ તથા આત્મ- સ્વરૂપમાં વ્યક્ત (પ્રગટ) રાગ સહિત ઉપયોગ એકાગ્ર થાય છે, ત્યારે તે મંદકષાય સહિત છે એમ કહ્યું છે અને એ જ ધર્મધ્યાન છે. તથા શુક્લધ્યાન છે ત્યાં ઉપયોગમાં વ્યક્ત રાગ તો નથી અર્થાત્ પોતાના અનુભવમાં પણ ન આવે એવા સૂક્ષ્મ રાગ સહિત (મુનિ) શ્રેણી ચઢે છે ત્યાં આત્મપરિણામ ઉજ્જ્વલ હોય છે તેથી પવિત્ર ગુણના યોગથી તેને શુક્લ કહ્યું છે. મંદતમ કષાયથી અર્થાત્ અતિશય મંદ કષાયથી તે હોય છે તથા કષાયનો અભાવ થતાં પણ કહ્યું છે.

હવે આર્ત્તધ્યાન કહે છેઃ

दुक्खयरविसयजोए केम इमं चयदि इदि विचिंतंतो
चेट्ठदि जो विक्खित्तो अट्टज्झाणं हवे तस्स ।।४७३।।
मणहरविसयविओगे कह तं पावेमि इदि वियप्पो जो
संतावेण पयट्टो सो च्चिय अट्टं हवे झाणं ।।४७४।।
दुःखकरविषययोगे कथं इमं त्यजति इति विचिन्तयन्
चेष्टते यः विक्षिप्तः आर्त्तध्यानं भवेत् तस्य ।।४७३।।
मनोहरविषयवियोगे कथं तत् प्राप्नोमि इति विकल्पः यः
सन्तापेन प्रवृत्तः तत् एव आर्त्तं भवेत् ध्यानम् ।।४७४।।

અર્થદુઃખકારી વિષયનો સંયોગ થતાં જે પુરુષ આવું ચિંતવન કરે કે ‘આ મારાથી કેવી રીતે દૂર થાય?’ વળી તેના સંયોગથી વિક્ષિપ્તચિત્તવાળો થયો થકો ચેષ્ટા કરે તથા રુદનાદિક કરે તેને આર્ત્તધ્યાન હોય છે. વળી જે મનોહરવહાલી વિષયસામગ્રીનો વિયોગ થતાં આ પ્રમાણે ચિંતવન કરે કે‘તેને હવે હું શી રીતે પામું?’ એમ તેના વિયોગથી સંતાપરૂપદુઃખરૂપ પ્રવર્તે તે પણ આર્તધ્યાન છે.

ભાવાર્થઃસામાન્યપણે દુઃખકલેશરૂપ પરિણામ છે તે આર્ત્તધ્યાન છે. તે દુઃખમાં એવો લીન રહે કે બીજી કોઈ ચેતનતા (જાગ્રતિ) જ રહે નહિ. એ આર્ત્તધ્યાન બે પ્રકારથી કહ્યું છેઃ પ્રથમ તો