દ્વાદશ તપ ][ ૨૭૧
ભાવાર્થઃ — પંચપરમેષ્ઠી, દશલક્ષણસ્વરૂપધર્મ તથા આત્મ- સ્વરૂપમાં વ્યક્ત (પ્રગટ) રાગ સહિત ઉપયોગ એકાગ્ર થાય છે, ત્યારે તે મંદકષાય સહિત છે એમ કહ્યું છે અને એ જ ધર્મધ્યાન છે. તથા શુક્લધ્યાન છે ત્યાં ઉપયોગમાં વ્યક્ત રાગ તો નથી અર્થાત્ પોતાના અનુભવમાં પણ ન આવે એવા સૂક્ષ્મ રાગ સહિત (મુનિ) શ્રેણી ચઢે છે ત્યાં આત્મપરિણામ ઉજ્જ્વલ હોય છે તેથી પવિત્ર ગુણના યોગથી તેને શુક્લ કહ્યું છે. મંદતમ કષાયથી અર્થાત્ અતિશય મંદ કષાયથી તે હોય છે તથા કષાયનો અભાવ થતાં પણ કહ્યું છે.
હવે આર્ત્તધ્યાન કહે છેઃ —
અર્થઃ — દુઃખકારી વિષયનો સંયોગ થતાં જે પુરુષ આવું ચિંતવન કરે કે ‘આ મારાથી કેવી રીતે દૂર થાય?’ વળી તેના સંયોગથી વિક્ષિપ્તચિત્તવાળો થયો થકો ચેષ્ટા કરે તથા રુદનાદિક કરે તેને આર્ત્તધ્યાન હોય છે. વળી જે મનોહર – વહાલી વિષયસામગ્રીનો વિયોગ થતાં આ પ્રમાણે ચિંતવન કરે કે – ‘તેને હવે હું શી રીતે પામું?’ એમ તેના વિયોગથી સંતાપરૂપ – દુઃખરૂપ પ્રવર્તે તે પણ આર્તધ્યાન છે.
ભાવાર્થઃ — સામાન્યપણે દુઃખ – કલેશરૂપ પરિણામ છે તે આર્ત્તધ્યાન છે. તે દુઃખમાં એવો લીન રહે કે બીજી કોઈ ચેતનતા (જાગ્રતિ) જ રહે નહિ. એ આર્ત્તધ્યાન બે પ્રકારથી કહ્યું છેઃ પ્રથમ તો