દુઃખકારી સામગ્રીનો સંયોગ થતાં તેને દૂર કરવાનું ધ્યાન રહે, તથા બીજું
ઇષ્ટ – સુખકારી સામગ્રીનો વિયોગ થતાં તેને ફરીથી મેળવવાનું ચિંતવન
– ધ્યાન રહે તે આર્ત્તધ્યાન છે. અન્ય ગ્રંથોમાં તેના ચાર ભેદ કહ્યા છે —
ઇષ્ટવિયોગનું ચિંતવન, અનિષ્ટસંયોગનું ચિંતવન, પીડાનું ચિંતવન તથા
નિદાનબંધચિંતવન. અહીં બે કહ્યા તેમાં આ ચારેય ગર્ભિત થઈ જાય છે.
અનિષ્ટસંયોગ દૂર કરવામાં પીડા – ચિંતવન આવી જાય છે તથા ઇષ્ટને
મેળવવાની વાંચ્છામાં નિદાનબંધ આવી જાય છે. એ બંને ધ્યાન અશુભ
છે, પાપબંધ કરનારાં છે; માટે ધર્માત્મા પુરુષોએ તે તજવા યોગ્ય છે.
હવે રૌદ્રધ્યાન કહે છેઃ —
हिंसाणंदेण जुदो असच्चवयणेण परिणदो जो दु ।
तत्थेव अथिरचित्तो रुद्दं झाणं हवे तस्स ।।४७५।।
हिंसानन्देन युतः असत्यवचनेन परिणतः यः तु ।
तत्र एव अस्थिरचित्तः रौद्रं ध्यानं भवेत् तस्य ।।४७५।।
અર્થઃ — જે પુરુષ હિંસામાં આનંદયુક્ત હોય, અસત્યવચનરૂપ
પરિણમતો રહે અને ત્યાં જ વિક્ષિપ્તચિત્ત રહે તેને રૌદ્રધ્યાન હોય છે.
ભાવાર્થઃ — જીવઘાત કરવો તે હિંસા છે. એ કરીને જે અતિ
હર્ષ માને, શિકારાદિમાં અતિ આનંદથી પ્રવર્તે, પરને વિઘ્ન થતાં અતિ
સંતુષ્ટ થાય, જૂઠવચન બોલી તેમાં પોતાનું પ્રવીણપણું માને તથા પરદોષ
નિરંતર દેખ્યા કરે – કહ્યા કરે અને તેમાં આનંદ માને તે બધું રૌદ્રધ્યાન
છે. એ પ્રમાણે આ બે ભેદ રૌદ્રધ્યાનના કહ્યા.
હવે (રૌદ્રધ્યાનના) બીજા બે ભેદ કહે છેઃ —
परविसयहरणसीलो सगीयविसए सुरक्खणे दक्खो ।
तग्गयचिंताविट्ठो णिरंतरं तं पि रुद्दं पि ।।४७६।।
परविषयहरणशीलः स्वकीयविषये सुरक्षणे दक्षः ।
तद्गतचिन्ताविष्टः निरन्तरं तदपि रौद्रं अपि ।।४७६।।
૨૭૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા