Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 475-476.

< Previous Page   Next Page >


Page 272 of 297
PDF/HTML Page 296 of 321

 

background image
દુઃખકારી સામગ્રીનો સંયોગ થતાં તેને દૂર કરવાનું ધ્યાન રહે, તથા બીજું
ઇષ્ટ
સુખકારી સામગ્રીનો વિયોગ થતાં તેને ફરીથી મેળવવાનું ચિંતવન
ધ્યાન રહે તે આર્ત્તધ્યાન છે. અન્ય ગ્રંથોમાં તેના ચાર ભેદ કહ્યા છે
ઇષ્ટવિયોગનું ચિંતવન, અનિષ્ટસંયોગનું ચિંતવન, પીડાનું ચિંતવન તથા
નિદાનબંધચિંતવન. અહીં બે કહ્યા તેમાં આ ચારેય ગર્ભિત થઈ જાય છે.
અનિષ્ટસંયોગ દૂર કરવામાં પીડા
ચિંતવન આવી જાય છે તથા ઇષ્ટને
મેળવવાની વાંચ્છામાં નિદાનબંધ આવી જાય છે. એ બંને ધ્યાન અશુભ
છે, પાપબંધ કરનારાં છે; માટે ધર્માત્મા પુરુષોએ તે તજવા યોગ્ય છે.
હવે રૌદ્રધ્યાન કહે છેઃ
हिंसाणंदेण जुदो असच्चवयणेण परिणदो जो दु
तत्थेव अथिरचित्तो रुद्दं झाणं हवे तस्स ।।४७५।।
हिंसानन्देन युतः असत्यवचनेन परिणतः यः तु
तत्र एव अस्थिरचित्तः रौद्रं ध्यानं भवेत् तस्य ।।४७५।।
અર્થજે પુરુષ હિંસામાં આનંદયુક્ત હોય, અસત્યવચનરૂપ
પરિણમતો રહે અને ત્યાં જ વિક્ષિપ્તચિત્ત રહે તેને રૌદ્રધ્યાન હોય છે.
ભાવાર્થઃજીવઘાત કરવો તે હિંસા છે. એ કરીને જે અતિ
હર્ષ માને, શિકારાદિમાં અતિ આનંદથી પ્રવર્તે, પરને વિઘ્ન થતાં અતિ
સંતુષ્ટ થાય, જૂઠવચન બોલી તેમાં પોતાનું પ્રવીણપણું માને તથા પરદોષ
નિરંતર દેખ્યા કરે
કહ્યા કરે અને તેમાં આનંદ માને તે બધું રૌદ્રધ્યાન
છે. એ પ્રમાણે આ બે ભેદ રૌદ્રધ્યાનના કહ્યા.
હવે (રૌદ્રધ્યાનના) બીજા બે ભેદ કહે છેઃ
परविसयहरणसीलो सगीयविसए सुरक्खणे दक्खो
तग्गयचिंताविट्ठो णिरंतरं तं पि रुद्दं पि ।।४७६।।
परविषयहरणशीलः स्वकीयविषये सुरक्षणे दक्षः
तद्गतचिन्ताविष्टः निरन्तरं तदपि रौद्रं अपि ।।४७६।।
૨૭૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા