અર્થઃ — જે પુરુષ પરની વિષયસામગ્રી હરવાના સ્વભાવવાળો
હોય, પોતાની વિષયસામગ્રીની રક્ષા કરવામાં પ્રવીણ હોય તથા એ બંને
કાર્યોમાં નિરંતર ચિત્ત તલ્લીન રાખ્યા કરે તે પુરુષને એ પણ રૌદ્રધ્યાન
જ છે.
ભાવાર્થઃ — પરસંપદા ચોરવામાં પ્રવીણ હોય, ચોરી કરીને હર્ષ
માને, પોતાની વિષયસામગ્રી રાખવાનો અતિ પ્રયત્ન કરે, તેની રક્ષા
કરીને ખુશી થાય; એ પ્રમાણે આ (ચૌર્યાનંદ તથા વિષયસંરક્ષણાનંદ) બે
ભેદ પણ રૌદ્રધ્યાનના છે. આ ચારે ભેદરૂપ રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયના
યોગથી થાય છે – મહા પાપરૂપ છે તથા મહા પાપબંધના કારણરૂપ છે.
ધર્માત્મા પુરુષ એવા ધ્યાનને દૂરથી જ છોડે છે. જેટલાં કોઈ જગતને
ઉપદ્રવનાં કારણો છે તેટલાં રૌદ્રધ્યાનયુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી
ઉલટો હર્ષ માને – સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી, તે તો
અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે.
હવે ધર્મધ્યાન કહે છેઃ —
बिण्णि वि असुहे झाणे पावणिहाणे य दुक्खसंताणे ।
णच्चा दूरे वज्जह धम्मे पुण आयरं कुणह ।।४७७।।
द्वे अपि अशुभे ध्याने पापनिधाने च दुःखसन्ताने ।
ज्ञात्वा दूरे वर्जत धर्मे पुनः आदरं कुरुत ।।४७७।।
અર્થઃ — હે ભવ્યપ્રાણી! આ બંને આર્ત – રૌદ્રધ્યાન અશુભ છે.
એનો, પાપનાં નિધાનરૂપ અને દુઃખનાં સંતાનરૂપ જાણી, દૂરથી જ ત્યાગ
કરો અને ધર્મધ્યાનમાં આદર કરો!
ભાવાર્થઃ — આર્ત્ત – રૌદ્ર બંને ધ્યાન અશુભ છે, પાપથી ભરેલાં
છે અને એમાં દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે; માટે એનો ત્યાગ
કરી ધર્મધ્યાન કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે.
હવે ધર્મનું સ્વરૂપ કહે છેઃ —
દ્વાદશ તપ ][ ૨૭૩