દ્વાદશ તપ ][ ૨૭૩
અર્થઃ — જે પુરુષ પરની વિષયસામગ્રી હરવાના સ્વભાવવાળો હોય, પોતાની વિષયસામગ્રીની રક્ષા કરવામાં પ્રવીણ હોય તથા એ બંને કાર્યોમાં નિરંતર ચિત્ત તલ્લીન રાખ્યા કરે તે પુરુષને એ પણ રૌદ્રધ્યાન જ છે.
ભાવાર્થઃ — પરસંપદા ચોરવામાં પ્રવીણ હોય, ચોરી કરીને હર્ષ માને, પોતાની વિષયસામગ્રી રાખવાનો અતિ પ્રયત્ન કરે, તેની રક્ષા કરીને ખુશી થાય; એ પ્રમાણે આ (ચૌર્યાનંદ તથા વિષયસંરક્ષણાનંદ) બે ભેદ પણ રૌદ્રધ્યાનના છે. આ ચારે ભેદરૂપ રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયના યોગથી થાય છે – મહા પાપરૂપ છે તથા મહા પાપબંધના કારણરૂપ છે. ધર્માત્મા પુરુષ એવા ધ્યાનને દૂરથી જ છોડે છે. જેટલાં કોઈ જગતને ઉપદ્રવનાં કારણો છે તેટલાં રૌદ્રધ્યાનયુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી ઉલટો હર્ષ માને – સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી, તે તો અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે.
હવે ધર્મધ્યાન કહે છેઃ —
અર્થઃ — હે ભવ્યપ્રાણી! આ બંને આર્ત – રૌદ્રધ્યાન અશુભ છે. એનો, પાપનાં નિધાનરૂપ અને દુઃખનાં સંતાનરૂપ જાણી, દૂરથી જ ત્યાગ કરો અને ધર્મધ્યાનમાં આદર કરો!
ભાવાર્થઃ — આર્ત્ત – રૌદ્ર બંને ધ્યાન અશુભ છે, પાપથી ભરેલાં છે અને એમાં દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે; માટે એનો ત્યાગ કરી ધર્મધ્યાન કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે.
હવે ધર્મનું સ્વરૂપ કહે છેઃ —