Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 478-479.

< Previous Page   Next Page >


Page 274 of 297
PDF/HTML Page 298 of 321

 

background image
धम्मो वत्थुसहावो खमादिभावो य दसविहो धम्मो
रयणत्तयं च धम्मो जीवाणं रक्खणं धम्मो ।।४७८।।
धर्मः वस्तुस्वभावः क्षमादिभावः च दशविधः धर्मः
रत्नत्रयं च धर्मः जीवानां रक्षणं धर्मः ।।४७८।।
અર્થઃવસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, જેમ જીવનો જે
દર્શનજ્ઞાનસ્વરૂપ ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. વળી દસ
પ્રકારના ક્ષમાદિ ભાવ તે ધર્મ છે, સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય
છે તે ધર્મ છે તથા જીવોની રક્ષા કરવી તે પણ ધર્મ છે.
ભાવાર્થઃઅભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ
છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, ભેદવિવક્ષાથી
ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી
પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું
તે ધર્મ છે તથા વ્યવહારથી પરજીવોને વિભાવરૂપ દુઃખ
ક્લેશરૂપ ન
કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ
ધર્મ છે.
હવે કેવા જીવને ધર્મધ્યાન હોય તે કહે છેઃ
धम्मे एयग्गमणो जो णवि वेदेदि पंचहा-विसयं
वेरग्गमओ णाणी धम्मज्झाणं हवे तस्स ।।४७९।।
धर्मे एकाग्रमनाः यः नैव वेदयति पंचधाविषयम्
वैराग्यमयः ज्ञानी धर्मध्यानं भवेत् तस्य ।।४७९।।
અર્થઃજે જ્ઞાનીપુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત થઈ વર્તે, પાંચે
ઇન્દ્રિયોના વિષયોને ન વેદે (અનુભવે) તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને
ધર્મધ્યાન હોય છે.
ભાવાર્થઃધ્યાનનું સ્વરૂપ એક જ્ઞેયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે
છે. જે પુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિયવિષયોને
૨૭૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા