धम्मो वत्थुसहावो खमादिभावो य दसविहो धम्मो ।
रयणत्तयं च धम्मो जीवाणं रक्खणं धम्मो ।।४७८।।
धर्मः वस्तुस्वभावः क्षमादिभावः च दशविधः धर्मः ।
रत्नत्रयं च धर्मः जीवानां रक्षणं धर्मः ।।४७८।।
અર્થઃ — વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, જેમ જીવનો જે
દર્શનજ્ઞાનસ્વરૂપ ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. વળી દસ
પ્રકારના ક્ષમાદિ ભાવ તે ધર્મ છે, સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ રત્નત્રય
છે તે ધર્મ છે તથા જીવોની રક્ષા કરવી તે પણ ધર્મ છે.
ભાવાર્થઃ — અભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ
છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, ભેદવિવક્ષાથી
ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી
પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું
તે ધર્મ છે તથા વ્યવહારથી પરજીવોને વિભાવરૂપ દુઃખ – ક્લેશરૂપ ન
કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ
ધર્મ છે.
હવે કેવા જીવને ધર્મધ્યાન હોય તે કહે છેઃ —
धम्मे एयग्गमणो जो णवि वेदेदि पंचहा-विसयं ।
वेरग्गमओ णाणी धम्मज्झाणं हवे तस्स ।।४७९।।
धर्मे एकाग्रमनाः यः नैव वेदयति पंचधाविषयम् ।
वैराग्यमयः ज्ञानी धर्मध्यानं भवेत् तस्य ।।४७९।।
અર્થઃ — જે જ્ઞાનીપુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત થઈ વર્તે, પાંચે
ઇન્દ્રિયોના વિષયોને ન વેદે (અનુભવે) તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને
ધર્મધ્યાન હોય છે.
ભાવાર્થઃ — ધ્યાનનું સ્વરૂપ એક જ્ઞેયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે
છે. જે પુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિયવિષયોને
૨૭૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા