૨૭૪ ]
અર્થઃ — વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, જેમ જીવનો જે દર્શનજ્ઞાનસ્વરૂપ ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. વળી દસ પ્રકારના ક્ષમાદિ ભાવ તે ધર્મ છે, સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ રત્નત્રય છે તે ધર્મ છે તથા જીવોની રક્ષા કરવી તે પણ ધર્મ છે.
ભાવાર્થઃ — અભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, ભેદવિવક્ષાથી ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું તે ધર્મ છે તથા વ્યવહારથી પરજીવોને વિભાવરૂપ દુઃખ – ક્લેશરૂપ ન કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ ધર્મ છે.
હવે કેવા જીવને ધર્મધ્યાન હોય તે કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાનીપુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત થઈ વર્તે, પાંચે ઇન્દ્રિયોના વિષયોને ન વેદે (અનુભવે) તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને ધર્મધ્યાન હોય છે.
ભાવાર્થઃ — ધ્યાનનું સ્વરૂપ એક જ્ઞેયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે છે. જે પુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિયવિષયોને