દ્વાદશ તપ ][ ૨૭૫ વેદતો નથી અને તેને જ ધર્મધ્યાન હોય છે. તેનું મૂળ કારણ સંસાર – દેહ – ભોગથી વૈરાગ્ય છે, કારણ કે વૈરાગ્ય વિના ધર્મમાં ચિત્ત થંભતું નથી.
અર્થઃ — જે પુરુષ રાગ-દ્વેષરહિત થઈ, બાહ્યસંકલ્પોથી છૂટી, ધીરચિત્તથી એકાગ્રમનવાળો થઈ જે ચિંતવન કરે છે, તે પણ શુભધ્યાન છે.
ભાવાર્થઃ — જે રાગ-દ્વેષમયી પરવસ્તુ સંબંધી સંકલ્પ છોડી — કોઈનો ચળાવ્યો પણ ન ચળે એવો એકાગ્રચિત્ત બની ચિંતવન કરે છે તે પણ શુભધ્યાન છે.
અર્થઃ — જે સાધુ, પોતાના સ્વસ્વરૂપનો સમુદ્ભાસ એટલે પ્રગટતા થઈ છે જેને એવો થયો થકો, પરદ્રવ્યમાં નષ્ટ થયું છે મમત્વ જેને એવો બનીને, જીત્યા છે ઇન્દ્રિયવિષય જેણે એવો થઈ એક આત્માનું ચિંતવન કરતો થકો પ્રવર્તે છે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે.
ભાવાર્થઃ — જેને પોતાના સ્વસ્વરૂપનો પ્રતિભાસ થયો હોય, જે પરદ્રવ્યમાં મમત્વ ન કરતો હોય, અને ઇન્દ્રિયોને વશ કરે, એ પ્રમાણે જે આત્માનું ચિંતવન કરે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે. બીજાને શુભ ધ્યાન હોતું નથી.