Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 482.

< Previous Page   Next Page >


Page 276 of 297
PDF/HTML Page 300 of 321

 

૨૭૬ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
वज्जियसयलवियप्पो अप्पसरूवे मणं णिरुंधंतो
जं चिंतदि साणंदं तं धम्मं उत्तमं झाणं ।।४८२।।
वर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन्
यत् चिन्तयति सानन्दं तत् धर्म्यं उत्तमं ध्यानम् ।।४८२।।

અર્થઃજે બધાય અન્ય વિકલ્પોને છોડી, આત્મસ્વરૂપમાં મનને રોકી આનંદ સહિત ચિંતવન હોય તે ઉત્તમ ધર્મધ્યાન છે.

ભાવાર્થઃસમસ્ત અન્ય વિકલ્પરહિત આત્મસ્વરૂપમાં મનને સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન કહે છે તે ઉત્તમ ધર્મધ્યાન છે. અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર ધર્મધ્યાનનું વિશેષ કથન કર્યું છે; તેને સંક્ષેપમાં લખીએ છીએઃ

ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, તથા સંસ્થાનવિચય. ત્યાં જીવાદિક છ દ્રવ્ય, પંચાસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં વિશેષ સ્વસ્વરૂપવિશિષ્ટ ગુરુના અભાવથી તથા પોતાની મંદબુદ્ધિવશ પ્રમાણ-નય નિક્ષેપથી સાધી શકાય એવું (સ્વરૂપ) જાણ્યું ન જાય ત્યારે એવું શ્રદ્ધાન કરે કે ‘જે સર્વજ્ઞવીતરાગદેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે’ એ પ્રમાણે આજ્ઞા માની તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞાવિચય-ધર્મધ્યાન છે.

‘અપાય’ નામ નાશનું છે. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ ચિંતવે, મિથ્યાત્વભાવ એ ધર્મમાં વિધ્નનું કારણ છે તેનું ચિંતવન રાખે અર્થાત્ તે પોતાનામાં ન થવા દેવાનું અને પરને મટવાનું ચિંતવન રાખે તે અપાયવિચય છે.

‘વિપાક’ નામ કર્મના ઉદયનું છે. ત્યાં જેવો કર્મનો ઉદય થાય તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે.

१.सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते
आज्ञासिद्धं तु तद्गाह्यं नान्यथावादिनो जिनाः ।।