Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 277 of 297
PDF/HTML Page 301 of 321

 

દ્વાદશ તપ ][ ૨૭૭

અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે. વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છેઅપાયવિચય, ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય, હેતુવિચય, વિરાગવિચય, ભવવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે દશેનું ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીતએવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે. ત્યાં પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના પાંત્રીસ અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંતસિદ્ધઆયરિયઉવઝાયસાહૂદ’ એ સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરિહંતસિદ્ધ’ એ છ અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં ‘અસિસા’ એ આદિ અક્ષરરૂપ પાંચ અક્ષર છે. અરિહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા ‘અર્હં’ એ બે અક્ષર છે. ૐ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે. અરહંતનો , અશરીરી જે સિદ્ધ તેનો , આચાર્યનો , ઉપાધ્યાયનો , અને મુનિનો म्, એ પ્રમાણે अ + अ + आ + उ + म् = ॐ’ એવો ધ્વનિ સિદ્ધ થાય છે. એ મંત્રવાક્યોને ઉચ્ચારણરૂપ કરી મનમાં તેનું ચિંતવનરૂપ ધ્યાન કરે, એનો વાચ્ય અર્થ જે પરમેષ્ઠી તેનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે તથા અન્ય પણ બાર હજાર શ્લોકપ્રમાણ નમસ્કારગ્રંથ અનુસાર

१.पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम्
रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ।।
२.णमो अरहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ।।
३.अर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यो नमः
४.अरहंता असरीरा आयरिया तह उवज्झया मुणिणो
पढमक्खरणिप्पण्णो ओंकारो पंचपरमेट्ठी ।।