૨૮૨ ]
અર્થઃ — યોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જ્યારે કેવળીભગવાન અયોગીજિન થાય છે, ત્યારે અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિઓ જે સત્તામાં રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન છે
ભાવાર્થઃ — ચૌદમા અયોગીજિનગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ અક્ષર (अ-इ-उ-ऋ-लृ) પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિ સત્તામાં રહી છે, તેના નાશનું કારણ આ યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેરમા ગુણસ્થાનની માફક અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને થંભાવવારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય પણ વિશેષ કથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં. એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.
હવે તપના કથનને સંકોચે છેઃ —
અર્થઃ — આ બાર પ્રકારનાં તપ કહ્યાં તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્ર – તીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ કર્મપુંજનો ક્ષય કરીને મોક્ષસુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષસુખ? જે અક્ષય – અવિનાશી છે.
ભાવાર્થઃ — તપથી કર્મનિર્જરા થાય છે તથા સંવર થાય છે અને