Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 489.

< Previous Page   Next Page >


Page 283 of 297
PDF/HTML Page 307 of 321

 

દ્વાદશ તપ ][ ૨૮૩ એ (નિર્જરા તથા સંવર) બંને મોક્ષનાં કારણ છે. જે મુનિવ્રત લઈને બાહ્યઅભ્યંતરભેદથી કહેલાં આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા સાધુ ચાર પ્રકારના કહ્યા છેઅણગાર, યતિ, મુનિ અને ૠષિ. તેમાં ગૃહવાસના ત્યાગી અને મૂળગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ મનઃપર્યયકેવળજ્ઞાન હોય તે મુનિ છે તથા જે ૠદ્ધિધારક હોય તે ૠષિ છે. એ ૠષિના પણ ચાર ભેદ છેઃ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, ,દેવર્ષિ તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાૠદ્ધિવાળા રાજૠષિ છે, અક્ષીણમહાનસ- ૠદ્ધિવાળા બ્રહ્મૠષિ છે, આકાશગામી (ચારણૠદ્ધિવાળા) દેવૠષિ છે તથા કેવળજ્ઞાની પરમૠષિ છે; એમ સમજવું.

હવે ગ્રંથકર્તા શ્રી સ્વામીકાર્ત્તિકેયમુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે છેઃ

जिणवयणभावणट्ठं सामिकुमारेण परमसद्धाए
रइया अणुवेक्खाओ चंचलमणरुंभणट्ठं च ।।४८९।।
जिनवचनभावनार्थं स्वामिकुमारेण परमश्रद्धया
रचिताः अनुप्रेक्षाः चञ्चलमनोरुन्धनार्थं च ।।४८९।।

અર્થઃસ્વામી કુમાર અર્થાત્ સ્વામીકાર્ત્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. અહીં ‘કુમાર’ શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે ‘આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર બનાવી દીધો હોય!’ આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે‘જિનવચનની ભાવના અર્થે રચ્યો છે.’ વાક્યથી એમ જણાવ્યું છે કે ખ્યાતિલાભપૂજાદિ લૌકિક પ્રયોજન અર્થે રચ્યો નથી. જિનવચનનું જ્ઞાનશ્રદ્ધાન થયું છે તેને વારંવાર ભાવવું