Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 285 of 297
PDF/HTML Page 309 of 321

 

background image
અર્થઃત્રણ ભુવનના પ્રધાનસ્વામી શ્રી તીર્થંકરદેવ કે જેમણે
કુમારકાળમાં જ તપશ્ચરણ ધારણ કર્યું એવા વસુપૂજ્યરાજાના પુત્ર
વાસુપૂજ્યજિન તથા મલ્લિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણ
નેમિનાથજિન, પાર્શ્વનાથજિન, વર્દ્ધમાનજિન એ પાંચ જિનોને હું નિત્ય
સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છું
વંદુ છું.
ભાવાર્થઃએ પ્રમાણે કુમારશ્રમણ જે પાંચ તીર્થંકર છે તેમનું
સ્તવનનમસ્કારરૂપ અંતમંગળ કર્યું છે. અહીં એમ સૂચવે છે કે પોતે
કુમારઅવસ્થામાં મુનિ થયા છે, તેથી તેમને કુમારતીર્થંકરો પ્રત્યે વિશેષ
પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ
કર્યું છે.
એ પ્રમાણે શ્રી સ્વામિકાર્ત્તિકેયમુનિએ રચેલો આ અનુપ્રેક્ષાગ્રંથ
સમાપ્ત થયો.
હવે આ વચનિકા થવાનો સંબંધ લખીએ છીએઃ
(દોહરો)
પ્રાકૃત સ્વામિકુમારકૃત, અનુપ્રેક્ષા શુભ ગ્રંથ;
દેશવચનિકા તેહની, ભણો લાગો શિવપંથ.
(ચોપાઈ)
દેશ ઢુંઢાહડ જયપુર સ્થાન, જગતસિંહ નૃપરાજ મહાન;
ન્યાયબુદ્ધિ તેને નિત રહે, તેના મહિમાને કવિ કહે.
તેનો મંત્રી બહુ ગુણવાન, તેનાથી મંત્ર રાજસુવિધાન;
ઇતિભીતિ લોકને નાહિ, જો વ્યાપે તો ઝટ દૂર થાઈ.
ધર્મભેદ સૌ મતના ભલે, પોતપોતાના ઇષ્ટથી ચલે;
જૈનધર્મની કથની તણી, ભક્તિપ્રીતિ જૈનોને ઘણી.
તેમાં તેરાપંથ કહાય, ધરે ગુણીજન કરે બઢાય;
તે મધ્યે છે નામ જયચંદ, હું છું આતમરામ અનંદ.
દ્વાદશ તપ ][ ૨૮૫