Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 66-67.

< Previous Page   Next Page >


Page 36 of 297
PDF/HTML Page 60 of 321

 

૩૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા

પંચ પ્રકારરૂપ સંસારનું સ્વરૂપ

હવે પાંચ પ્રકારના સંસારનાં નામ કહે છેઃ

संसारो पंचविहो दव्वे खेत्ते तहेव काले य
भवभमणो य चउत्थो पंचमओ भावसंसारो ।।६६।।
संसारः पञ्चविधः द्रव्ये क्षेत्रे तथैव काले च
भवभ्रमणः च चतुर्थः पञ्चमकः भावसंसारः ।।६६।।

અર્થઃસંસાર અર્થાત્ પરિભ્રમણ છે તે પાંચ પ્રકારનું છે. (૧) દ્રવ્ય અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ, (૨) ક્ષેત્ર અર્થાત્ આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત્ કાળના સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકદિ ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત્ પોતાને કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ;એ પ્રમાણે પાંચ પ્રકારરૂપ સંસાર જાણવો.

હવે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ દ્રવ્યપરાવર્તન કહે છેઃ

बंधदि मुंचदि जीवो पडिसमयं कम्मपुग्गला विविहा
णोकम्मपुग्गला वि य मिच्छत्तकसायसंजुत्तो ।।६७।।
बध्नति मुञ्चति जीवः प्रतिसमयं कर्मपुद्गलान् विविधान्
नोकर्मपुद्गलान अपि च मिथ्यात्वकषायसंयुक्तः ।।६७।।

અર્થઃઆ જીવ, આ લોકમાં રહેલાં જે અનેક પ્રકારનાં જ્ઞાનાવરણદિ કર્મપુદ્ગલો તથા ઔદરિકદિ શરીરરૂપ નોકર્મ-પુદ્ગલોને મિથ્યાત્વ-કષાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.

ભાવાર્થઃમિથ્યાત્વ-કષાયવશ જ્ઞાનાવરણદિ કર્મોના સમય- પ્રબદ્ધને અભવ્યરશિથી અનંત ગુણા તથા સિદ્ધરશિથી અનંતમા ભાગે પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ) સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં