૩૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
હવે પાંચ પ્રકારના સંસારનાં નામ કહે છેઃ —
અર્થઃ — સંસાર અર્થાત્ પરિભ્રમણ છે તે પાંચ પ્રકારનું છે. (૧) દ્રવ્ય અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ, (૨) ક્ષેત્ર અર્થાત્ આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત્ કાળના સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકદિ ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત્ પોતાને કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ; – એ પ્રમાણે પાંચ પ્રકારરૂપ સંસાર જાણવો.
હવે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ દ્રવ્યપરાવર્તન કહે છેઃ —
અર્થઃ — આ જીવ, આ લોકમાં રહેલાં જે અનેક પ્રકારનાં જ્ઞાનાવરણદિ કર્મપુદ્ગલો તથા ઔદરિકદિ શરીરરૂપ નોકર્મ-પુદ્ગલોને મિથ્યાત્વ-કષાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વ-કષાયવશ જ્ઞાનાવરણદિ કર્મોના સમય- પ્રબદ્ધને અભવ્યરશિથી અનંત ગુણા તથા સિદ્ધરશિથી અનંતમા ભાગે પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ) સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં