એ જ પ્રમાણે ઔદારિકાદિ શરીરોના સમયપ્રબદ્ધો શરીરગ્રહણના
સમયથી માંડીને આયુ સ્થિતિ સુધી ગ્રહણ કરે છે વા છોડે છે. એ
પ્રમાણે અનાદિકાળથી માંડી અનંત વાર (કર્મ-નોકર્મ પુદ્ગલોનું) ગ્રહણ
કરવું વા છોડવું થયા જ કરે છે.
તીવ્ર-મંદ-મધ્યમ ભાવથી ગ્રહ્યા હોય તેટલા જ તેવી રીતે કોઈ સમયે ફરી
ગ્રહણમાં આવે ત્યારે એક કર્મનોકર્મપરાવર્તન થાય છે, પણ વચ્ચે અનંત
વાર અન્ય પ્રકારના પરમાણુ ગ્રહણ થાય તેને અહીં ન ગણવા; એવી
રીતે જેવા ને તેવા જ (કર્મ-નોકર્મપરમાણુઓને) ફરીથી ગ્રહણ થવાને
અનંતકાળ જાય છે. તેને એક દ્રવ્યપરાવર્તન કહીએ છીએ. એ પ્રમાણે
આ જીવે આ લોકમાં અનંતા પરાવર્તન કર્યાં.
જીવ) ન ઊપજ્યો-મર્યો હોય. અહીં આ પ્રમાણે સમજવું કે લોકાકાશના
પ્રદેશો અસંખ્યાત છે. તેના મધ્યના આઠ પ્રદેશને વચમાં લઈને
સૂક્ષ્મનિગોદલબ્ધઅપર્યાપ્તક જઘન્ય અવગાહના ધારણ કરી જીવ ઊપજે
છે. હવે તેની અવગાહના પણ અસંખ્યાત પ્રદેશી છે. તે જેટલા પ્રદેશ