Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 69-70.

< Previous Page   Next Page >


Page 38 of 297
PDF/HTML Page 62 of 321

 

૩૮ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા છે તેટલી વાર તો ત્યાં જ એ જ અવગાહના પામે છે, વચ્ચે અન્ય જગ્યાએ અન્ય અવગાહનાથી (જીવ) ઊપજે તેની અહીં ગણતરી નથી. ત્યાર પછી એક એક પ્રદેશ ક્રમપૂર્વક વધતી અવગાહના પામે તે અહીં ગણતરીમાં છે. એ પ્રમાણે (ક્રમપૂર્વક વધતાં વધતાં) મહામચ્છની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પૂર્ણ કરે અને એ રીતે અનુક્રમે લોકાકાશના સર્વ પ્રદેશોને સ્પર્શે ત્યારે એક ક્ષેત્રપરાવર્તન થાય.

હવે કાળપરાવર્તન કહે છેઃ

उवसप्पिणिअवसप्पिणिपढमसमयदिचरमसमयंतं
जीवो कमेण जम्मदि मरदि य सव्वेसु कालेसु ।।६९।।
उत्सर्पिणीअवसर्पिणीप्रथमसमयदिचरमसमयान्तम्
जीवः क्रमेण जायते म्रियते च सर्वेषु कालेषु ।।६९।।

અર્થઃઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને અંતના સમય સુધી આ જીવ અનુક્રમપૂર્વક સર્વકાળમાં ઊપજે તથા મરે છે (તે કાળપરાવર્તન છે).

ભાવાર્થઃકોઈ જીવ, દસ કોડાકોડી સાગરનો જે ઉત્સર્પિણીકાળ તેના પ્રથમ સમયમાં જન્મ પામે, પછી બીજી ઉત્સર્પિણીના બીજા સમયમાં જન્મે, એ જ પ્રમાણે ત્રીજી ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં જન્મે, એ પ્રમાણે અનુક્રમપૂર્વક અંતના સમય સુધી જન્મે, વચ્ચે અન્ય સમયોમાં અનુક્રમરહિત જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે અવસર્પિણીકાળના પણ દસ કોડાકોડી સાગરના સમયો (ક્રમવાર) પૂર્ણ કરે તથા એ જ પ્રમાણે મરણ કરે તેને એક કાળપરાવર્તન કહે છે. તેમાં પણ અનંત કાળ થાય છે.

હવે ભવપરાવર્તન કહે છેઃ

णेरइयदिगदीणं अवरट्ठिदिदो वरट्ठिटी जाव
सव्वट्ठिदिसु वि जम्मदि जीवो गेवेज्जपज्जंतं ।।७०।।