અર્થઃ — જીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો
જ દેવગતિનાં સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે,
અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ — જીવ એકલો જ પુણ્યોપાર્જન કરી સ્વર્ગ જાય છે
અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે.
सुयणो पिच्छंतो वि हु ण दुक्खलेसं पि सक्कदे गहिदुं ।
एवं जाणंतो वि हु तो वि ममत्तं ण छंडेइ ।।७७।।
स्वजनः पश्यन्नपि स्फु टं न दुःखलेशं अपि शक्नोति ग्रहीतुम् ।
एवं जानन् अपि स्फु टं ततः अपि ममत्वं न त्यजति ।।७७।।
અર્થઃ — સ્વજન અર્થાત્ કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ
આવતાં તથા તેને દેખવા છતાં પણ, તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને
અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ
કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી.
ભાવાર્થઃ — પોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ
ભાગીદાર બની શકતું નથી; છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ
સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી.
હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છેઃ —
जीवस्स णिच्छयादो धम्मो दहलक्खणो हवे सुयणो ।
सो णेइ देवलोए सो चिय दुक्खक्खयं कुणइ ।।७८।।
जीवस्य निश्चयतः धर्मः दशलक्षणः भवेत् स्वजनः ।
सः नयति देवलोके सः एव दुःखक्षयं करोति ।।७८।।
અર્થઃ — આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ
ક્ષમાદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે
છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશને (મોક્ષને) કરે છે.
એકત્વાનુપ્રેક્ષા ]
[ ૪૩