Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 77-78.

< Previous Page   Next Page >


Page 43 of 297
PDF/HTML Page 67 of 321

 

background image
અર્થઃજીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો
જ દેવગતિનાં સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે,
અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃજીવ એકલો જ પુણ્યોપાર્જન કરી સ્વર્ગ જાય છે
અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે.
सुयणो पिच्छंतो वि हु ण दुक्खलेसं पि सक्कदे गहिदुं
एवं जाणंतो वि हु तो वि ममत्तं ण छंडेइ ।।७७।।
स्वजनः पश्यन्नपि स्फु टं न दुःखलेशं अपि शक्नोति ग्रहीतुम्
एवं जानन् अपि स्फु टं ततः अपि ममत्वं न त्यजति ।।७७।।
અર્થઃસ્વજન અર્થાત્ કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ
આવતાં તથા તેને દેખવા છતાં પણ, તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને
અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ
કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી.
ભાવાર્થઃપોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ
ભાગીદાર બની શકતું નથી; છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ
સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી.
હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છેઃ
जीवस्स णिच्छयादो धम्मो दहलक्खणो हवे सुयणो
सो णेइ देवलोए सो चिय दुक्खक्खयं कुणइ ।।७८।।
जीवस्य निश्चयतः धर्मः दशलक्षणः भवेत् स्वजनः
सः नयति देवलोके सः एव दुःखक्षयं करोति ।।७८।।
અર્થઃઆ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ
ક્ષમાદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે
છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશને (મોક્ષને) કરે છે.
એકત્વાનુપ્રેક્ષા ]
[ ૪૩