Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 79.

< Previous Page   Next Page >


Page 44 of 297
PDF/HTML Page 68 of 321

 

background image
ભાવાર્થઃધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી.
હવે કહે છે કે શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું
જાણઃ
सव्वायरेण जाणह इक्कं जीवं सरीरदो भिण्णं
जम्हि दु मुणिदे जीवे होदि असेसं खणे हेयं ।।७९।।
सर्वादरेण जानीहि एकं जीवं शरीरतः भिन्नम्
यस्मिन् तु ज्ञाते जीवे भवति अशेषं क्षणे हेयम् ।।७९।।
અર્થઃહે ભવ્યાત્મા! તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી
ભિન્ન એકલા જીવને જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો
ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે.
ભાવાર્થઃજ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો
હેયરૂપ જ ભાસે છે. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો મહાન
ઉપદેશ છે.
(દોહરો)
એક જીવ પર્યાય બહુ, ધારે સ્વ-પર નિદાન;
પર તજી આપા જાણકે, કરો ભવ્ય કલ્યાણ.
ઇતિ એકત્વાનુપ્રેક્ષા સમાપ્ત.
૪૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા