૪૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થઃ — જે દેહદિ પરદ્રવ્યોને ન્યારાં જાણી પોતાના સ્વરૂપનું સેવન કરે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
(દોહરો)
નિજ આતમથી ભિન્ન પર, જાણે જે નર દક્ષ;
નિજમાં રમે વમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ.
નિજમાં રમે વમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ.
ઇતિ અન્યત્વાનુપ્રેક્ષા સમાપ્ત.
૬. અશુચિત્વાનુપ્રેક્ષા
सयलकुहियाण पिंडं किमिकुलकलियं अउव्वदुग्गंधं ।
मलमुत्ताण य गेहं देहं जाणेहि असुइमयं ।।८३।।
सकलकुथितानां पिण्डं कृमिकुलकलितं अपूर्वदुर्गन्धं ।
मलमूत्राणां च गृहं देहं जानीहि अशुचिमयम् ।।८३।।
અર્થઃ — હે ભવ્ય! તું આ દેહને અપવિત્રમય જાણ! કેવો છે એ દેહ? સઘળી કુત્સિત્ અર્થાત્ નિંદનીય વસ્તુઓનો પિંડ – સમુદાય છે. વળી તે કેવો છે? કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગન્ધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
ભાવાર્થઃ — આ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમૂહરૂપ જાણ.
હવે કહે છે કે — આ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના સંયોગથી દુર્ગન્ધમય કરે છે.
सुट्ठु पवित्तं दव्वं सरससुगंधं मणोहरं जं पि ।
देहणिहित्तं जायदि घिणावणं सुट्ठु दुग्गंधं ।।८४।।