Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 85-86.

< Previous Page   Next Page >


Page 47 of 297
PDF/HTML Page 71 of 321

 

અશુચિત્વાનુપ્રેક્ષા ]

[ ૪૭
सुष्ठु पवित्रं द्रव्यं सरससुगन्धं मनोहरं यदपि
देहनिक्षिप्तं जायते घृणास्पदं सुष्ठु दुर्गन्धम् ।।८४।।

અર્થઃરૂડા, પવિત્ર, સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાંની સાથે જ ઘૃણાસ્પદ અને અત્યંત દુર્ગન્ધમય બની જાય છે.

ભાવાર્થઃઆ દેહને ચંદન-કપૂરદિ લગાવતાં તે પણ દુર્ગન્ધમય થઈ જાય છે, મિષ્ટાન્નદિ સુરસ વસ્તુઓ ખાતાં તે પણ મલદિરૂપ પરિણમી જાય છે તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શમાત્રથી અસ્પર્શ્ય થઈ જાય છે.

ફરી આ દેહને અશુચિરૂપ દર્શાવે છેઃ

मणुयाणं असुइमयं विहिणा देहं विणिम्मियं जाण
तेसिं विरमणकज्जे ते पुण तत्थेव अणुरत्ता ।।८५।।
मनुजानां अशुचिमयं विधिना देहं विनिर्मितं जानीहि
तेषां विरमणकार्ये ते पुनः तत्र एव अनुरक्ताः ।।८५।।

અર્થઃહે ભવ્ય? આ મનુષ્યોનો દેહ, કર્મોએ અશુચિમય બનાવ્યો છે, ત્યાં આવી ઉત્પ્રેક્ષાસંભાવના જાણ કેએ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે; છતાં પણ આ મનુષ્ય એવા દેહમાં પણ અનુરાગી થાય છે એ મોટું અજ્ઞાન છે.

વળી એ જ અર્થને દ્રઢ કરે છેઃ

एवंविहं पु देहं पिच्छंता वि य कुणंति अणुरायं
सेवंति आयरेण य अलद्धपुव्वं ति मण्णंता ।।८६।।
एवंविधं अपि देहं पश्यन्तः अपि च कुवरन्ति अनुरागम्
सेवन्ते आदरेण च अलब्धपूर्वं इति मन्यमानाः ।।८६।।

અર્થઃપૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી