અશુચિત્વાનુપ્રેક્ષા ]
અર્થઃ — રૂડા, પવિત્ર, સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાંની સાથે જ ઘૃણાસ્પદ અને અત્યંત દુર્ગન્ધમય બની જાય છે.
ભાવાર્થઃ — આ દેહને ચંદન-કપૂરદિ લગાવતાં તે પણ દુર્ગન્ધમય થઈ જાય છે, મિષ્ટાન્નદિ સુરસ વસ્તુઓ ખાતાં તે પણ મલદિરૂપ પરિણમી જાય છે તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શમાત્રથી અસ્પર્શ્ય થઈ જાય છે.
ફરી આ દેહને અશુચિરૂપ દર્શાવે છેઃ —
અર્થઃ — હે ભવ્ય? આ મનુષ્યોનો દેહ, કર્મોએ અશુચિમય બનાવ્યો છે, ત્યાં આવી ઉત્પ્રેક્ષા – સંભાવના જાણ કે — એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે; છતાં પણ આ મનુષ્ય એવા દેહમાં પણ અનુરાગી થાય છે એ મોટું અજ્ઞાન છે.
વળી એ જ અર્થને દ્રઢ કરે છેઃ —
અર્થઃ — પૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી