Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 87.

< Previous Page   Next Page >


Page 48 of 297
PDF/HTML Page 72 of 321

 

૪૮ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છેસેવે છે, પણ તે મહાન અજ્ઞાન છે.

હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિભાવના સફલ છે એમ કહે છેઃ

जो परदेहविरत्तो णियदेहे ण य करेदि अणुरायं
अप्पसरूवि सुरत्तो असुइत्ते भावणा तस्स ।।८७।।
यः परदेहविरक्तः निजदेहे न च करोति अनुरागम्
आत्मस्वरूपे सुरक्तः अशुचित्वे भावना तस्य ।।८७।।

અર્થઃજે ભવ્ય, પરદેહ જે સ્ત્રી અદિના દેહ તેનાથી વિરક્ત થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મસ્વરૂપમાં ધ્યાન વડે લીન રહે છે તેને અશુચિભાવના સાર્થક થાય છે.

ભાવાર્થઃકેવળ વિચારમાત્રથી જ ભાવના પ્રધાન (સાચી) નથી, પરન્તુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને ભાવના સત્યાર્થ કહેવાય છે.

(દોહરો)
સ્વપર દેહકું અશુચિ લખી, તજૈ તાસ અનુરાગ;
તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય.
ઇતિ અશુચિત્વાનુપ્રેક્ષા સમાપ્ત.