Swami Kartikeyanupreksha (Gujarati). 7. Aashravanupreksha Gatha: 88-89.

< Previous Page   Next Page >


Page 49 of 297
PDF/HTML Page 73 of 321

 

આસ્રવાનુપ્રેક્ષા ]

[ ૪૯
૭. આuાવાનુપ્રેક્ષા
मणवयणकायजोया जीवपएसाण फंदणविसेसा
मोहोदएण जुत्ता विजुदा वि य आसवा होंति ।।८८।।
मनवचनकाययोगाः जीवप्रदेशानां स्पन्दनविशेषाः
मोहोदयेन युक्ताः वियुताः अपि च आस्रवाः भवन्ति ।।८८।।

અર્થઃમન-વચન-કાયરૂપ યોગ છે તે જ આસ્રવ છે. કેવા છે તે યોગ? જીવપ્રદેશોનું પરિસ્પંદન અર્થાત્ ચલન-કંપન તેના જ જે વિશેષ (ભેદ) છે તે જ યોગ છે. વળી તે કેવા છે? મોહકર્મના ઉદયરૂપ મિથ્યાત્વ- કષાયકર્મ સહિત છે તથા એ મોહના ઉદયથી રહિત પણ છે.

ભાવાર્થઃમન-વચન-કાયનું નિમિત્ત પામીને જીવના પ્રદેશોનું ચલાચલ થવું તે યોગ છે અને તેને જ આસ્રવ કહીએ છીએ. તે ગુણસ્થાનોની પરિપાટી અનુસાર સૂક્ષ્મસાંપરાય નામના દશમા ગુણસ્થાન સુધી તો મોહના ઉદયરૂપ યથાસંભવિત મિથ્યાત્વકષાયોથી સહિત હોય છે તેને સાંપરયિક આસ્રવ કહીએ છીએ તથા તેની ઉપરના તેરમા ગુણસ્થાન સુધી મોહના ઉદયરહિત (યોગ) છે તેને ઇર્યાપથ આસ્રવ કહીએ છીએ. જે પુદ્ગલવર્ગણાઓ કર્મરૂપ પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહીએ છીએ તથા જીવપ્રદેશો ચંચલ થાય છે તેને ભાવાસ્રવ કહીએ છીએ.

હવે મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ (ખરેખર) આસ્રવ છે એમ વિશેષપણે કહે છેઃ

मोहविवागवसादो जे परिणामा हवंति जीवस्स
ते आसवा मुणिज्जसु मिच्छत्ताई अणेयविहा ।।८९।।
मोहविपाकवशात् ये परिणामा भवन्ति जीवस्य
ते आस्रवाः मन्यस्व मिथ्यात्वादयः अनेकविधाः ।।८९।।