❈ મંદ-તીવ્રકષાયનાં પ્રગટ દ્રષ્ટાંત ❈
सव्वत्थ वि पियवयणं दुव्वयणे दुज्जणे वि खमकरणं ।
सव्वेसिं गुणगहणं मंदकसायाण दिट्ठंता ।।९१।।
सर्वत्र अपि प्रियवचनं दुर्वचने दुर्जने अपि क्षमाकरणम् ।
सर्वेषां गुणग्रहणं मन्दकषायाणां दृष्टान्ताः ।।९१।।
અર્થઃ — સર્વ જગ્યાએ શત્રુ-મિત્રાદિમાં પ્રિય-હિતરૂપ વચન
બોલવાં, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી તથા સર્વ
જીવોના ગુણ જ ગ્રહણ કરવા — એ સર્વ મંદકષાયી જીવોનાં દ્રષ્ટાંત છે.
अप्पपसंसणकरण पुज्जेसु वि दोसगहणसीलत्तं ।
वेरधरणं च सुइरं तिव्वकसायाण लिंगाणि❃ ।।९२।।
आत्मप्रशंसनकरणं पूज्येषु अपि दोषग्रहणशीलत्वम् ।
वैरधारणं च सुचिरं तीव्रकषायाणां लिङ्गानि ।।९२।।
અર્થઃ — પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ
ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વૈર ધારણ કરી
❃हरिततृणाङ्कुरचारिणि, मन्दा मृगशावके भवति मूर्च्छा
।
उन्दरनिकरोन्माथिनि, माज्जारे सैव जायते तीव्रा ।।
(શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય – ૧૨૧)
અર્થઃ — લીલા ઘાસના અંકુર ચરવાવાળા હરણના બચ્ચામાં (એ ઘાસ
ચરતી વેળા) પણ તત્સંબંધી મૂર્છા મંદ હોય છે ત્યારે તે જ હિંસા ઉંદરોના
સમૂહનું ઉન્મંથન કરવાવાળી બિલ્લીમાં તીવ્ર હોય છે. હરણ તો સ્વભાવથી જ
લીલાં ઘાસની અધિક શોધમાં રહેતું નથી છતાં જ્યારે તેને લીલું ઘાસ મળી જાય
તો તે થોડું ઘણું ખાઈને તેને છોડીને ભાગી જાય છે, પરંતુ બિલ્લી તો પોતાના
ખાદ્યપદાર્થની તપાસમાં સ્વભાવથી જ અધિક ચેષ્ટિત રહે છે. વળી તે ખાદ્ય પદાર્થ
મળતાં તેમાં એટલી બધી અનુરક્ત થાય છે કે માથા ઉપર ડાંગ મારવા છતાં
પણ તેને છોડતી નથી. એટલે આ હરણ અને બિલ્લી એ બે, મંદ અને
તીવ્રકષાયનાં સરલ અને પ્રગટ ઉદાહરણ છે.
આસ્રવાનુપ્રેક્ષા ]
[ ૫૧