આસ્રવાનુપ્રેક્ષા ]
અર્થઃ — સર્વ જગ્યાએ શત્રુ-મિત્રદિમાં પ્રિય-હિતરૂપ વચન બોલવાં, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી તથા સર્વ જીવોના ગુણ જ ગ્રહણ કરવા — એ સર્વ મંદકષાયી જીવોનાં દ્રષ્ટાંત છે.
અર્થઃ — પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વૈર ધારણ કરી
અર્થઃ — લીલા ઘાસના અંકુર ચરવાવાળા હરણના બચ્ચામાં (એ ઘાસ ચરતી વેળા) પણ તત્સંબંધી મૂર્છા મંદ હોય છે ત્યારે તે જ હિંસા ઉંદરોના સમૂહનું ઉન્મંથન કરવાવાળી બિલ્લીમાં તીવ્ર હોય છે. હરણ તો સ્વભાવથી જ લીલાં ઘાસની અધિક શોધમાં રહેતું નથી છતાં જ્યારે તેને લીલું ઘાસ મળી જાય તો તે થોડું ઘણું ખાઈને તેને છોડીને ભાગી જાય છે, પરંતુ બિલ્લી તો પોતાના ખાદ્યપદાર્થની તપાસમાં સ્વભાવથી જ અધિક ચેષ્ટિત રહે છે. વળી તે ખાદ્ય પદાર્થ મળતાં તેમાં એટલી બધી અનુરક્ત થાય છે કે માથા ઉપર ડાંગ મારવા છતાં પણ તેને છોડતી નથી. એટલે આ હરણ અને બિલ્લી એ બે, મંદ અને તીવ્રકષાયનાં સરલ અને પ્રગટ ઉદાહરણ છે.