Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 91-92.

< Previous Page   Next Page >


Page 51 of 297
PDF/HTML Page 75 of 321

 

background image
મંદ-તીવ્રકષાયનાં પ્રગટ દ્રષ્ટાંત
सव्वत्थ वि पियवयणं दुव्वयणे दुज्जणे वि खमकरणं
सव्वेसिं गुणगहणं मंदकसायाण दिट्ठंता ।।९१।।
सर्वत्र अपि प्रियवचनं दुर्वचने दुर्जने अपि क्षमाकरणम्
सर्वेषां गुणग्रहणं मन्दकषायाणां दृष्टान्ताः ।।९१।।
અર્થઃસર્વ જગ્યાએ શત્રુ-મિત્રાદિમાં પ્રિય-હિતરૂપ વચન
બોલવાં, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી તથા સર્વ
જીવોના ગુણ જ ગ્રહણ કરવા
એ સર્વ મંદકષાયી જીવોનાં દ્રષ્ટાંત છે.
अप्पपसंसणकरण पुज्जेसु वि दोसगहणसीलत्तं
वेरधरणं च सुइरं तिव्वकसायाण लिंगाणि ।।९२।।
आत्मप्रशंसनकरणं पूज्येषु अपि दोषग्रहणशीलत्वम्
वैरधारणं च सुचिरं तीव्रकषायाणां लिङ्गानि ।।९२।।
અર્થઃપોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ
ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વૈર ધારણ કરી
हरिततृणाङ्कुरचारिणि, मन्दा मृगशावके भवति मूर्च्छा
उन्दरनिकरोन्माथिनि, माज्जारे सैव जायते तीव्रा ।।
(શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય૧૨૧)
અર્થઃલીલા ઘાસના અંકુર ચરવાવાળા હરણના બચ્ચામાં (એ ઘાસ
ચરતી વેળા) પણ તત્સંબંધી મૂર્છા મંદ હોય છે ત્યારે તે જ હિંસા ઉંદરોના
સમૂહનું ઉન્મંથન કરવાવાળી બિલ્લીમાં તીવ્ર હોય છે. હરણ તો સ્વભાવથી જ
લીલાં ઘાસની અધિક શોધમાં રહેતું નથી છતાં જ્યારે તેને લીલું ઘાસ મળી જાય
તો તે થોડું ઘણું ખાઈને તેને છોડીને ભાગી જાય છે, પરંતુ બિલ્લી તો પોતાના
ખાદ્યપદાર્થની તપાસમાં સ્વભાવથી જ અધિક ચેષ્ટિત રહે છે. વળી તે ખાદ્ય પદાર્થ
મળતાં તેમાં એટલી બધી અનુરક્ત થાય છે કે માથા ઉપર ડાંગ મારવા છતાં
પણ તેને છોડતી નથી. એટલે આ હરણ અને બિલ્લી એ બે, મંદ અને
તીવ્રકષાયનાં સરલ અને પ્રગટ ઉદાહરણ છે.
આસ્રવાનુપ્રેક્ષા ]
[ ૫૧