રાખવું; — એ તીવ્રકષાયી જીવોનાં ચિહ્ન છે
હવે કહે છે કે આવા જીવોનું આસ્રવચિંતવન નિષ્ફળ છેઃ —
एवं जाणंतो वि हु परिचयणीए वि जो ण परिहरइ ।
तस्सासवाणुवेक्खा सव्वा वि णिरत्थया होदि ।।९३।।
एवं जानन् अपि स्फु टं परित्यजनीयान् अपि यः न परिहरति ।
तस्य आस्रवानुप्रेक्षा सर्वा अपि निरर्थका भवति ।।९३।।
અર્થઃ — આ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય
પરિણામોને છોડતો નથી તેનું સર્વ આસ્રવચિંતવન નિરર્થક છે — કાર્યકારી
નથી.
ભાવાર્થઃ — આસ્રવાનુપ્રેક્ષા ચિંતવન કરી પ્રથમ તો તીવ્રકષાય
છોડવો, ત્યાર પછી શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવું અર્થાત્ સર્વ કષાય છોડવો.
એ જ ચિંતવનનું ફળ છે, માત્ર વાર્તા જ કરવી એ તો સફળ નથી.
एदे मोहजभावा जो परिवज्जेइ उवसमे लीणो ।
हेयमिदि मण्णमाणो आसवअणुपेहणं तस्स ।।९४।।
एतान् मोहजभावान् यः परिवर्जयति उपशमे लीनः ।
हेयं इति मन्यमानः आस्रवानुप्रेक्षणं तस्य ।।९४।।
અર્થઃ — જે પુરુષ ઉપર કહેલા સઘળા, મોહના ઉદયથી થયેલા,
મિથ્યાત્વાદિ પરિણામોને છોડે છે — કેવો થયો થકો? ઉપશમપરિણામ જે
વીતરાગભાવ તેમાં લીન થયો થકો; તથા એ મિથ્યાત્વાદિ ભાવોને હેય અર્થાત્
ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો — તેને આસ્રવાનુપ્રેક્ષા હોય છે.
(દોહરો)
આસ્રવ પંચ પ્રકારને, ચિંતવી તજે વિકાર;
તે પામે નિજરૂપને, એ જ ભાવનાસાર.
ઇતિ આસ્રવાનુપ્રેક્ષા સમાપ્ત.
૫૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
❃ ❃ ❃