Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 93-94.

< Previous Page   Next Page >


Page 52 of 297
PDF/HTML Page 76 of 321

 

background image
રાખવું;એ તીવ્રકષાયી જીવોનાં ચિહ્ન છે
હવે કહે છે કે આવા જીવોનું આસ્રવચિંતવન નિષ્ફળ છેઃ
एवं जाणंतो वि हु परिचयणीए वि जो ण परिहरइ
तस्सासवाणुवेक्खा सव्वा वि णिरत्थया होदि ।।९३।।
एवं जानन् अपि स्फु टं परित्यजनीयान् अपि यः न परिहरति
तस्य आस्रवानुप्रेक्षा सर्वा अपि निरर्थका भवति ।।९३।।
અર્થઃઆ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય
પરિણામોને છોડતો નથી તેનું સર્વ આસ્રવચિંતવન નિરર્થક છેકાર્યકારી
નથી.
ભાવાર્થઃઆસ્રવાનુપ્રેક્ષા ચિંતવન કરી પ્રથમ તો તીવ્રકષાય
છોડવો, ત્યાર પછી શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવું અર્થાત્ સર્વ કષાય છોડવો.
એ જ ચિંતવનનું ફળ છે, માત્ર વાર્તા જ કરવી એ તો સફળ નથી.
एदे मोहजभावा जो परिवज्जेइ उवसमे लीणो
हेयमिदि मण्णमाणो आसवअणुपेहणं तस्स ।।९४।।
एतान् मोहजभावान् यः परिवर्जयति उपशमे लीनः
हेयं इति मन्यमानः आस्रवानुप्रेक्षणं तस्य ।।९४।।
અર્થઃજે પુરુષ ઉપર કહેલા સઘળા, મોહના ઉદયથી થયેલા,
મિથ્યાત્વાદિ પરિણામોને છોડે છેકેવો થયો થકો? ઉપશમપરિણામ જે
વીતરાગભાવ તેમાં લીન થયો થકો; તથા એ મિથ્યાત્વાદિ ભાવોને હેય અર્થાત્
ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો
તેને આસ્રવાનુપ્રેક્ષા હોય છે.
(દોહરો)
આસ્રવ પંચ પ્રકારને, ચિંતવી તજે વિકાર;
તે પામે નિજરૂપને, એ જ ભાવનાસાર.
ઇતિ આસ્રવાનુપ્રેક્ષા સમાપ્ત.
૫૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
❃ ❃ ❃