Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 110-111.

< Previous Page   Next Page >


Page 60 of 297
PDF/HTML Page 84 of 321

 

background image
અર્થઃજે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ
આદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવાદિકોએ કરેલા
ઉપસર્ગને સહન કરે છે;
એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને
વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃકોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને
અતિચારાદિ દોષ લાગતાં આચાર્યાદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત
આપે
નિરાદર કરે તોપણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ
ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે.
रिणमोयणुव्व मण्णइ जो उवसग्गं परीसहं तिव्वं
पावफलं मे एदं मया वि जे संचिदं पुव्वं ।।११०।।
ऋणमोचनवत् मन्यते यः उपसर्गं परीषहं तीव्रम्
पापफलं मे एतत् मया अपि यत् संचितं पूर्वम् ।।११०।।
અર્થઃજે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરીષહ આવતાં એમ માને છે
કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને
(શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે
નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે આપી દેવાં, પણ તેથી
વ્યાકુળતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે.
जो चिंतेइ सरीरं ममत्तजणयं विणस्सरं असुइं
दंसणणाणचरित्तं सुहजणयं णिम्मलं णिच्चं ।।१११।।
यः चिन्तयति शरीरं ममत्वजनकं विनश्वरं अशुचिम्
दर्शनज्ञानचरित्रं शुभजनकं निर्मलं नित्यम् ।।१११।।
અર્થઃજે મુનિ, આ શરીરને મમત્વ-મોહનું ઉપજાવવાવાળું,
વિનાશી તથા અપવિત્ર માને છે અને દર્શન-જ્ઞાન-ચારિત્રને શુભજનક (સુખ
ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃશરીરને મોહના કારણરૂપ, અસ્થિર અને અશુચિરૂપ
૬૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા