૬૦ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ અદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે; — એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — કોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને અતિચારદિ દોષ લાગતાં આચાયારદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપે – નિરાદર કરે તોપણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે.
અર્થઃ — જે મુનિ ઉપસર્ગ તથા તીવ્ર પરીષહ આવતાં એમ માને છે કે મેં પૂર્વજન્મમાં પાપનો સંચય કર્યો હતો તેનું આ ફળ છે, તેને (શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે આપી દેવાં, પણ તેથી વ્યાકુળતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે.
અર્થઃ — જે મુનિ, આ શરીરને મમત્વ-મોહનું ઉપજાવવાવાળું, વિનાશી તથા અપવિત્ર માને છે અને દર્શન-જ્ઞાન-ચરિત્રને શુભજનક (સુખ ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — શરીરને મોહના કારણરૂપ, અસ્થિર અને અશુચિરૂપ