નિર્જરાનુપ્રેક્ષા ]
માને તો તેનો શોચ ન રહે. અને પોતે પોતાના સ્વરૂપમાં લાગે ત્યારે નિર્જરા અવશ્ય થાય.
અર્થઃ — જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઈ પોતે કરેલાં દુષ્કૃતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો જ આદર કરે છે તથા પોતાનાં મન-ઇન્દ્રિયોને જીતે છે — વશ કરે છે તેને ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વદિ દોષોનો નિરાદર કરે તો તે મિથ્યાત્વદિકર્મો ક્યાંથી ટકે! ઝડી જ જાય.
અર્થઃ — જે સાધુ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેનો જ જન્મ સફળ છે, તેને જ પાપકર્મોની નિર્જરા થાય છે અને પુણ્યકર્મનો અનુભાગ વધે છે, વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — જે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વગારદિનાં સુખ ભોગવી (અનુક્રમે) મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે ઉત્કૃષ્ટ નિર્જરાના સ્વામીનું સ્વરૂપ કહીને નિર્જરાનું કથન પૂરું કરે છે —