Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 297
PDF/HTML Page 88 of 321

 

background image
૬૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
પ્રમાણે એક દોરી લાંબુપહોળું ખેતર હોય તેના ચાર ચાર હાથના
લાંબાપહોળા ખંડ કરીએ તો વીસને વીસે ગુણતાં ચારસો થાય, તેને
કચવાંસી કહે છે. તેની વીસ વિસવાંસી થઈ, તેનો એક વીઘો થયો. એ
પ્રમાણે ચોરસ, ત્રિકોણ વા ગોળ આદિ ખેતર હોય તેને સમાન ખંડથી
માપી ક્ષેત્રફળ લાવવામાં આવે છે; એ જ પ્રમાણે લોકના ક્ષેત્રને
યોજનાદિની સંખ્યા વડે જેવું ક્ષેત્ર હોય તેવા વિધાનથી ક્ષેત્રફળ લાવવાનું
વિધાન ગણિતશાસ્ત્રથી જાણવું.
અહીં લોકના ક્ષેત્રમાં અને દ્રવ્યોની ગણનામાં અલૌકિક ગણિત
એકવીસ છે, તથા ઉપમાગણિત આઠ છે. ત્યાં સંખ્યાતના ત્રણ ભેદ છે
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અસંખ્યાતના નવ ભેદ છેતેમાં જઘન્ય,
મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે પરીતાસંખ્યાત; જઘન્ય, મધ્યમ અને
ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે યુક્તાસંખ્યાત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ
એ ત્રણ પ્રકારે અસંખ્યાતાસંખ્યાત. એ પ્રમાણે અસંખ્યાતના નવ ભેદ
થયા. વળી અનંતના પણ નવ ભેદ છે. તે આ પ્રમાણે
જઘન્ય, મધ્યમ
અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી પરીતાનંત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ
એ ત્રણ પ્રકારથી યુક્તાનંત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ
પ્રકારથી અનંતાનંત
એ પ્રમાણે અનંતના નવ ભેદ છે. એ પ્રમાણે
સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના નવ તથા અનંતના નવ મળી અલૌકિક
ગણિતના એકવીસ ભેદ થયા.
ત્યાં જઘન્યપરીતાસંખ્યાત (નું માપ) લાવવા માટે જંબૂદ્વીપ જેવડા
લાખ-લાખ યોજનના વ્યાસવાળા તથા હજાર-હજાર યોજન ઊંડા ચાર
કુંડ કરીએ. તેમાં એકનું નામ અનવસ્થાકુંડ, બીજાનું નામ શલાકાકુંડ,
ત્રીજાનું નામ પ્રતિશલાકાકુંડ તથા ચોથાનું નામ મહાશલાકાકુંડ. તેમાં
પ્રથમના અનવસ્થાકુંડને સરસવના દાણાથી પૂરેપૂરો ભરીએ તો તેમાં
છેંતાલીસ અંક પ્રમાણ સરસવ સમાય. તેને સંકલ્પમાત્ર લઈને ચાલીએ;
તેમાંથી એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ; ત્યાં
જ્યાં એ સરસવ પૂરા થાય તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે