સમૂહ પ્રમાણમાં ઘટાવી ફરી મેળવવી, ત્યારે કેવળજ્ઞાનના
અવિભાગપ્રતિચ્છેદરૂપ ઉત્કૃષ્ટ અનંતાનંતપ્રમાણ રાશિ થાય છે.
ત્રણ પ્રકાર છે
સમુદ્રોની સંખ્યા ગણવામાં આવે છે તથા અદ્ધાપલ્ય વડે કર્મોની સ્થિતિ
તથા દેવાદિકની આયુસ્થિતિ ગણવામાં આવે છે.
તૃટરેણુ, ત્રસરેણુ, રથરેણુ ઉત્તમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, મધ્યમ
ભોગભૂમિના વાળનો અગ્રભાગ, જઘન્યભોગભૂમિના વાળનો અગ્રભાગ,
કર્મભૂમિના વાળનો અગ્રભાગ, લીખ, સરસવ, જવ અને આંગળ
દેવ, તિર્યંચ અને મનુષ્યોના શરીરનું પ્રમાણ વર્ણન કરવામાં આવે છે
તથા દેવોનાં નગર-મંદિરાદિનું વર્ણન કરવામાં આવે છે. વળી
ઉત્સેધઆંગળથી પાંચસો ગણા પ્રમાણાંગુલ છે. એ વડે દ્વીપ, સમુદ્ર અને
પર્વતાદિના પરિમાણનું વર્ણન કરવામાં આવે છે. તથા આત્માંગુલ, જ્યાં
જેવા મનુષ્યો હોય ત્યાં તે પ્રમાણે જાણવો. છ આંગળનો પાદ થાય છે,
બે પાદનો એક વિલસ્ત (વેંત) થાય છે, બે વિલસ્તનો એક હાથ થાય
છે. બે હાથનો એક ભીષ (વાર) થાય છે, બે ભીષનો એક ધનુષ થાય
છે, બે હજાર ધનુષનો એક કોષ થાય છે, ચાર કોષનો એક યોજન
થાય છે.