अण्णोण्णपदेसेण य दव्वाणं अच्छणं भवे लोओ ।
दव्वाण णिवत्तो लोयस्य वि मुणह णिच्चत्तं ।।११६।।
अन्योन्यप्रदेशेन च द्रव्याणां आसनं भवेत् लोकः ।
द्रव्याणां नित्यत्वात् लोकस्य अपि जानीहि नित्यत्वम् ।।११६।।
અર્થઃ — જીવાદિ દ્રવ્યોના પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ
અર્થાત્ મેળાપરૂપ અવસ્થાન છે તે લોક છે. જે દ્રવ્યો છે તે નિત્ય છે
તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.
ભાવાર્થઃ — છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, તે (છએ)
દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય જ છે.
હવે કોઈ તર્ક કરે કે — જો તે નિત્ય છે તો આ ઊપજે-વિણસે
છે તે કોણ છે? તેના સમાધાનરૂપ સૂત્ર કહે છેઃ —
परिणामसहादादो पडिसमयं परिणमंति दव्वाणि ।
तेसिं परिणामादो लोयस्स वि मुणह परिणामं ।।११७
परिणामस्वभावात् प्रतिसमयं परिणमन्ति द्रव्याणि ।
तेषां परिणामात् लोकस्य अपि जानीहि परिणामम् ।।११७।।
અર્થઃ — આ લોકમાં છએ દ્રવ્યો છે તે પરિણામસ્વભાવી છે તેથી
તેઓ સમયે સમયે પરિણમે છે; તેમના પરિણમવાથી લોકના પણ
પરિણામ જાણો.
ભાવાર્થઃ — દ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે
તે લોક છે; તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થયા.
અહીં કોઈ પૂછે કે – પરિણામ એટલે શું? તેનો ઉત્તરઃ — પરિણામ નામ
પર્યાયનું છે; જે દ્રવ્ય એક અવસ્થારૂપ હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ
થયું ( તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડ-અવસ્થારૂપ હતી,
તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં
લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ
અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૧