Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 116-117.

< Previous Page   Next Page >


Page 71 of 297
PDF/HTML Page 95 of 321

 

background image
अण्णोण्णपदेसेण य दव्वाणं अच्छणं भवे लोओ
दव्वाण णिवत्तो लोयस्य वि मुणह णिच्चत्तं ।।११६।।
अन्योन्यप्रदेशेन च द्रव्याणां आसनं भवेत् लोकः
द्रव्याणां नित्यत्वात् लोकस्य अपि जानीहि नित्यत्वम् ।।११६।।
અર્થઃજીવાદિ દ્રવ્યોના પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ
અર્થાત્ મેળાપરૂપ અવસ્થાન છે તે લોક છે. જે દ્રવ્યો છે તે નિત્ય છે
તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.
ભાવાર્થઃછ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, તે (છએ)
દ્રવ્યો નિત્ય છે તેથી લોક પણ નિત્ય જ છે.
હવે કોઈ તર્ક કરે કેજો તે નિત્ય છે તો આ ઊપજે-વિણસે
છે તે કોણ છે? તેના સમાધાનરૂપ સૂત્ર કહે છેઃ
परिणामसहादादो पडिसमयं परिणमंति दव्वाणि
तेसिं परिणामादो लोयस्स वि मुणह परिणामं ।।११७
परिणामस्वभावात् प्रतिसमयं परिणमन्ति द्रव्याणि
तेषां परिणामात् लोकस्य अपि जानीहि परिणामम् ।।११७।।
અર્થઃઆ લોકમાં છએ દ્રવ્યો છે તે પરિણામસ્વભાવી છે તેથી
તેઓ સમયે સમયે પરિણમે છે; તેમના પરિણમવાથી લોકના પણ
પરિણામ જાણો.
ભાવાર્થઃદ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે
તે લોક છે; તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થયા.
અહીં કોઈ પૂછે કે
પરિણામ એટલે શું? તેનો ઉત્તરઃપરિણામ નામ
પર્યાયનું છે; જે દ્રવ્ય એક અવસ્થારૂપ હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ
થયું ( તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડ-અવસ્થારૂપ હતી,
તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં
લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ
અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૧