Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 98 of 153
PDF/HTML Page 106 of 161

 

background image
૯૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :જેમ તપ વિના ૠદ્ધિ પ્રગટતી નથી, પિતા વિના પુત્રી
પ્રગટતી નથી અને વાદળાં વિના વરસાદ થતો નથી, તેમ રત્નત્રય વિના
ચિદ્રૂપની પ્રાપ્તિ થતી નથી. ૩.
दर्शनज्ञानचारित्रस्वरूपात्मप्रवर्तनं
युगपद् भण्यते रत्नत्रयं सर्वजिनेश्वरैः ।।।।
દર્શનજ્ઞાન ચારિત્રસ્વરુપે આત્મા યુગપદ્ વર્તે;
આત્મપ્રવર્તન તે રત્નત્રય, જિનવર વચન પ્રવર્તેરે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૪.
અર્થ :દર્શન, જ્ઞાન, ચારિત્રસ્વરૂપે આત્માનું એકસાથ જે
પ્રવર્તન તેને સર્વ જિનેશ્વરો રત્નત્રય કહે છે. ૪.
निश्चयव्यवहाराभ्यां द्विधा तत्परिकीर्तितं
सत्यस्मिन् व्यवहारे तन्निश्चयं प्रकटीभवेत् ।।।।
નિશ્ચય ને વ્યવહાર રત્નત્રય, બે ભેદે એ ભાખ્યું,
એ વ્યવહાર હોય ત્યાં નિશ્ચય, પ્રગટે કારણ દાખ્યું રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૫.
અર્થ :તે રત્નત્રય નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદે વર્ણવ્યું
છે. જ્યાં એ વ્યવહારરૂપ રત્નત્રય હોય ત્યાં તે નિશ્ચય રત્નત્રય પ્રગટ
થાય છે. ૫.
श्रद्धानं दर्शनं सप्ततत्त्वानां व्यवहारतः
अष्टांगं त्रिविधं प्रोक्तं तदौपशमिकादितः ।।।।
સાત તત્ત્વની શ્રદ્ધા જાણો, સદ્દર્શન વ્યવહારે;
આL અંગયુત ને વળી ઉપશમ આદિ ત્રણ પ્રકારે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૬.