Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 99 of 153
PDF/HTML Page 107 of 161

 

background image
અધ્યાય-૧૨ ][ ૯૯
અર્થ :સાત તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહારથી દર્શન કહ્યું છે, તે
આઠ અંગયુક્ત છે. તેને ઉપશમ આદિ ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું
છે. ૬.
सता वस्तूनि सर्वाणि स्याच्छब्देन वचांसि च
चिता जगति व्याप्तानि पश्यन् सद्दृष्टिरुच्यते ।।।।
સત્ રુપે વસ્તુ સૌ શ્રદ્ધે, સ્યાદ્વાદે સૌ વાણી;
જ્ઞાનદ્રષ્ટિથી જગ સૌ જોતાં, તે સદ્દ્રષ્ટિ જ્ઞાની રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૭.
અર્થ :સર્વ વસ્તુઓને અસ્તિત્વ સ્વરૂપે જોતાંશ્રદ્ધતા અને
(તેના વાચક) વચનોને સ્યાદ્વાદ એટલે અનેકાંતદ્રષ્ટિએ (અને)
જગતમાં વ્યાપેલ સર્વ પદાર્થોને જ્ઞાનદ્રષ્ટિએ જોનાર સમ્યગ્દ્રષ્ટિ
કહેવાય છે. ૭.
स्वकीये शुद्धचिद्रूपे रुचिर्या निश्चयेन तत्
सद्दर्शनं मतं तज्ज्ञैः कर्मेंधनहुताशनं ।।।।
સહજ આત્મ નિજ રુપ વિષે જે, રુચિ તે સદ્દર્શનને;
નિશ્ચયથી જ્ઞાનીઓ માને, બાળે કર્મ §ધાનને રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૮.
અર્થ :પોતાના શુદ્ધ ચિદ્રૂપમાં જે રુચિ તેને તેના જાણનારા
જ્ઞાનીઓ નિશ્ચયથી કર્મરૂપ ઇંધનને બાળનાર અગ્નિ સમાન સમ્યગ્દર્શન
કહે છે. ૮.
यदि शुद्धं चिद्रूपं निजं समस्तं त्रिकालगं युगपत्
जानन् पश्यन् पश्यति तदा स जीवः सुदृक् तत्त्वात् ।।।।
ત્રણે કાલવર્તી નિજ ચિદ્રૂપ શુદ્ધ સર્વ એક સાથે;
જાણે દેખે જે શ્રદ્ધે તે સદ્દ્રષ્ટિ પરમાર્થે રે;
ભવિકા રત્નત્રય આદરિયે. ૯.