Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 101 of 153
PDF/HTML Page 109 of 161

 

background image
અધ્યાય-૧૨ ][ ૧૦૧
(તેને) તું કર્મરજને ઉડાડવા માટે પવન સમાન મોક્ષલક્ષ્મીનું કારણ
જાણ. ૧૨.
यदि चिद्रूपेऽनुभवो मोहाभावे निजे भवेत्तत्वात्
तत्परमज्ञानं स्याद् बहिरंतरसंगमुक्तस्य ।।१३।।
બહિરંતર સૌ સંગ ત્યાગીને મોહક્ષયે જ્યાં થાયે,
નિજ ચિદ્રૂપ અનુભવ નિશ્ચે, પરમ જ્ઞાન કહેવાયે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૩.
અર્થ :બાહ્ય અને અંતરસંગથી રહિત પુરુષને જ્યારે મોહનો
ક્ષય થાય (છે) ત્યારે પોતાના ચિદ્રૂપમાં અનુભવ થાય (છે) અને
નિશ્ચયથી તે પરમજ્ઞાન થાય છે. ૧૩.
निर्वृत्तिर्यत्र सावद्यात् प्रवृत्तिः शुभकर्मसु
त्रयोदशप्रकारं तच्चारित्रं व्यवहारतः ।।१४।।
અશુભ કર્મથી જ્યાં નિવૃત્તિ શુભમાં પ્રવૃત્તિ ધાારે;
તે ચારિત્ર કıાãં વ્યવહારે, જ્ઞાનીએ તેર પ્રકારે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૪.
અર્થ :જ્યાં પાપથી નિવૃત્તિ અને શુભ કર્મોમાં પ્રવૃત્તિ છે. તે
તેર પ્રકારનું વ્યવહારથી ચારિત્ર છે. ૧૪.
मूलोत्तरगुणानां यत्पालनं मुक्तये मुनेः
दृशा ज्ञानेन संयुक्तं तच्चारित्रं न चापरं ।।१५।।
સમ્યગ્દર્શન જ્ઞાન સહિત જે, મૂલોત્તર ગુણ પાલે;
તે ચારિત્ર, અવર નહિ, મુનિને, મુકિતશ્રી સુખ આલે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૫.
અર્થ :જે દર્શન અને જ્ઞાનસહિત મૂળ અને ઉત્તર ગુણોનું
પાલન છે, તે ચારિત્ર મુનિની મુક્તિનું કારણ છે પણ બીજું નહિ. ૧૫.