Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 103 of 153
PDF/HTML Page 111 of 161

 

background image
અધ્યાય-૧૨ ][ ૧૦૩
यजि चिद्रूपे शुद्धे स्थितिर्निजे भवति दृष्टिबोधबलात्
परद्रव्यास्मरणं शुद्धनयादंगिनो वृत्तं ।।१९।।
તત્ત્વદ્રષ્ટિ ને બોધા બળે જો નિજ સહજાત્મસ્વરુપે;
સ્થિતિ થાય, પરદ્રવ્ય સ્મરણ ના, નિશ્ચયે ચરણ અનૂપ રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૯.
અર્થ :દર્શન અને જ્ઞાનના બળથી જ્યારે નિજ શુદ્ધ
આત્મસ્વરૂપમાં સ્થિતિ થાય છે, ત્યારે પરદ્રવ્યનું વિસ્મરણ તે શુદ્ધનયથી
પ્રાણીને ચારિત્ર છે.
रत्नत्रयं किल ज्ञेयं व्यवहारं तु साधनं
सद्भिश्च निश्चयं साध्यं मुनीनां सद्विभूषणं ।।२०।।
એ વ્યવહાર રત્નત્રય સાધાન નિશ્ચયનું જન જાણો;
સાધય સંતને નિશ્ચય તે તો મુનિનું ભૂષણ વખાણો રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૦.
અર્થ :વ્યવહાર રત્નત્રય માત્ર સાધન અને મુનિઓનું સત્
વિભૂષણરૂપ નિશ્ચય તે સાધ્ય છે, એમ વિદ્વાનોએ જાણવું. ૨૦.
रत्नत्रयं परं ज्ञेयं व्यवहारं च निश्चयं
निदानं शुद्धचिद्रूपस्वरूपात्मोपलब्धये ।।२१।।
આ વ્યવહાર નિશ્ચય રત્નત્રય પરમ હેતુરુપ જાણે;
નિર્મલ ચિદ્રૂપ સ્વરુપ પ્રગટવા, તે આત્મિક સુખ માણે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૧.
અર્થ :શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ માટે વ્યવહાર અને
નિશ્ચય રત્નત્રયને શ્રેષ્ઠ કારણ જાણવું. ૨૧.
स्वशुद्धचिद्रूपपरोपलब्धि कस्यापि रत्नत्रयमंतरेण
क्वचित्कदाचिन्न च निश्चयो दृढोऽस्ति चित्ते मम सर्वदैव ।।२२।।