Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 108 of 153
PDF/HTML Page 116 of 161

 

background image
૧૦૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
पठने गमने संगे चेतनेऽचेतनेऽपि च
किंचित्कार्यकृतौ पुंसा चिंता हेया विशुद्धये ।।।।
હે આત્મન્! જો વિશુદ્ધિ ચાહે તો ચિંતા તજ શીઘા્ર તમામ,
કરવા પLન, ગમન, જMચેતન, સંગ પ્રસંગ કે કંઇ પણ કામ.
અર્થ :મનુષ્યે વિશુદ્ધિની પ્રાપ્તિ માટે પઠનમાં, ગમનમાં,
ચેતનઅચેતન સંગમાં તથા કંઈ પણ કાર્ય કરવામાં ચિંતા તજી દેવી
જોઈએ. ૮.
शुद्धचिद्रूपकस्यांशो द्वादशांगश्रुतार्णवः
शुद्धचिद्रूपके लब्धे तेन किं मे प्रयोजनं ।।।।
બાર અંગ શ્રુતસાગર તે પણ નિર્મળ ચિદ્રૂપ અંશ ગણાય,
ચિદ્રૂપ શુદ્ધ મªયું ત્યાં મુજને, તે શ્રુતનું શું કામ જરાય? ૯.
અર્થ :બાર અંગરૂપ શ્રુતસમુદ્ર શુદ્ધ આત્માનો અંશ છે. જ્યાં
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યાં તેનું મારે શું કામ છે? ૯.
शुद्धचिद्रूपके लब्धे कर्तव्यं किंचिदस्ति न
अन्यकार्यकृतौ चिंता वृथा मे मोहसंभवा ।।१०।।
वपुषां कर्मणां कर्महेतूनां चिंतनं यदा
तदा क्लेशो विशुद्धिः स्याच्छुद्धचिद्रूपचिंतनं ।।११।।
ચિદ્રૂપ શુદ્ધ મªયું ત્યાં મુજને કંઇ નહિ મુજ કર્તવ્ય ગણાય,
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય તે વ્યર્થ મનાય;
શરીર કર્મ કે કર્મહેતુનું ચિંતન ત્યાં છે કલેશ નિવાસ,
નિર્મલ ચિદ્રૂપનું ચિંતન ત્યાં વિશુદ્ધિ પ્રગટે આત્મિક ખાસ. ૧૦-૧૧.
અર્થ :શુદ્ધ આત્માની પ્રાપ્તિ થતાં કંઈ કરવાનું છે નહિ.
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય છે, તેથી મારે તે કરવી નકામી
છે. ૧૦.