Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 110 of 153
PDF/HTML Page 118 of 161

 

background image
૧૧૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ઉત્તમ ધયાન વિમલ ચિદ્રૂપનું, વિશુદ્ધિનું એ કારણ મુખ્ય,
તેના ઘાાત બને સંકલેશે, ભાખે એમ જિનેન્દ્ર પ્રમુખ. ૧૫.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપનું ઉત્તમધ્યાન વિશુદ્ધિનું મુખ્ય કારણ છે તેના
ઘાત માટે સંક્લેશ કારણ થાય છે, જિન ભગવાને આમ કહ્યું છે. ૧૫.
अमृतं च विशुद्धिः स्यान्नान्यल्लोकप्रभाषितं
अत्यंतसेवने कष्टमन्यस्यास्य परं सुखं ।।१६।।
લોક કહે અમૃત તે તો નહિ, વિશુદ્ધિ એ અમૃત પ્રધાાન,
લૌકિક અતિ સેવન દુઃખદાયી, વિશુદ્ધિ અમૃત સુખદ મહાન. ૧૬.
અર્થ :લોકમાં જે અમૃત કહેવાય છે તે કોઈ અમૃત નથી,
આત્મવિશુદ્ધિ જ અમૃત છે. અન્ય (અમૃત)ના અત્યંત સેવનમાં કષ્ટ થાય
છે, જ્યારે આ વિશુદ્ધિના સેવનથી પરમ સુખ થાય છે. ૧૬.
विशुद्धिसेवनासक्ता वसंति गिरिगह्वरे
विमुच्यानुपमं राज्यं खसुखानि धनानि च ।।१७।।
અનુપમ રાજ્ય વિષય સુખ વૈભવ ધાન આદિ તજી થયા વિરકત,
ગિરિ ગુફામાં જઇ તે વસતા, વિશુદ્ધિ સેવનમાં આસકત. ૧૭.
અર્થ :વિશુદ્ધિના સેવનમાં આસક્ત થયેલા જીવો અનુપમ
રાજ્ય, ઇન્દ્રિય સુખ તથા ધન તજીને પર્વતની ગુફાઓમાં વસે છે. ૧૭.
विशुद्धेश्चित्स्वरूपे स्यात् स्थितिस्तस्या विशुद्धता
तयोरन्योन्यहेतुत्वमनुभूय प्रतीयतां ।।१८।।
विशुद्धिः परमो धर्मः पुंसि सैव सुखाकरः
परमाचरण सैव मुक्तेः पंथाश्च सैव हि ।।१९।।
વિશુદ્ધિથી ચિદ્રૂપમાં સ્થિરતા સ્થિરતાથી વળી શુદ્ધિ સધાાય,
એમ પરસ્પર કારણતાનો અનુભવ કરી ધાર શ્રદ્ધામાંય. ૧૮.