Tattvagyan Tarangini (Gujarati). Adhyay-14 : Anya Karyo Karava Chhata Pan Shuddh Chidrupna Smaranno Updesh.

< Previous Page   Next Page >


Page 113 of 153
PDF/HTML Page 121 of 161

 

background image
અધયાય ૧૪ મો
[અન્ય કાર્યો કરવા છતાં પણ
શુદ્ધ ચિદ્રૂપના સ્મરણનો ઉપદેશ]
नीहाराहारपानं खमदनविजयं स्वापमौनासनं च
यानं शीलं तपांसि व्रतमपि कलयन्नागमं संयमं च
दानं गानं जिनानां नुतिनतिजपनं मंदिरं चाभिषेकं
यात्रार्चे मूर्तिमेवं कलयति सुमतिः शुद्धचिद्रूपकोऽहं
।।।।
(ઝૂલણા)
જ્યાં મતિમાન આહાર નીહારમાં,
વિષયકામાદિજયમાં પ્રવર્તે,
શયન આસન ગમન મૌન તપ શીલ જપ,
શ્રુત વ્રત સંયમે સ્થિર વર્તે;
દાન જિન-સ્તવન વંદન અભિષેક કે,
મૂર્તિ મંદિર, પૂજા વગેરે,
જે કરે તે સદા પ્રેમથી પ્રથમ ત્યાં,
શુદ્ધ ચિદ્રૂપ હું સતત સમરે. ૧.
અર્થ :સમ્યગ્જ્ઞાની આહાર, નીહાર, પાન, ઇન્દ્રિય અને
કામનો વિજય તથા નિદ્રા, મૌન, આસન વગેરે કરતાં, વાહન, શીલ, વ્રત,
શાસ્ત્રસ્વાધ્યાય, સંયમ વગેરે કરતાં, દાન, ગાન, જિન ભગવાનની સ્તુતિ,
નમસ્કાર, જાપ કરતાં, મંદિર
મૂર્તિની સ્થાપના, અભિષેક, યાત્રા, પૂજા
કરતાં, પ્રતિષ્ઠા આદિ કરતાં(દરેક કાર્ય કરતાં) હું શુદ્ધ ચિદ્રૂપ છું;
એમ ભાવે છે. ૧.