Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 117 of 153
PDF/HTML Page 125 of 161

 

background image
અધ્યાય-૧૪ ][ ૧૧૭
અર્થ :જેમ પહેલાં ઉગેલાં વૃક્ષો મેઘવૃષ્ટિથી વધી જાય છે,
તેમ શુદ્ધ આત્માના ધ્યાનથી કલ્યાણ આપનાર ધર્મ વૃદ્ધિ પામે છે. ૯.
यथा बलाहकवृष्टेर्जायंते हरितांकुराः
तथा मुक्तिप्रदो धर्मः शुद्धचिद्रूपचिंतनात् ।।१०।।
મેઘાવૃષ્ટિ થતાં ભૂમિમાંથી યથા,
નવીન અંકુર બહુ ઉગી નીકળે,
શુદ્ધ ચિદ્રૂપ ચિંતન થકી ઉપજે,
મુકિતપ્રદ ધાર્મ ત્યમ ચિત્ત વિમલે. ૧૦.
અર્થ :જેમ મેઘ વૃષ્ટિ થતાં (ભૂમિમાંથી) લીલા અંકુરો ઉગી
નીકળે છે, તેમ શુદ્ધ આત્માના ચિંતવનથી મુક્તિ આપનાર ધર્મ પ્રગટ
થાય છે. ૧૦.
व्रतानि शास्त्राणि तपांसि निर्जने निवासमंतर्बहिः संगमोचनं
मौनं क्षमातापनयोगधारणं चिश्चिंतयामा कलयन् शिवं श्रयेत् ।।११।।
શાસ્ત્ર વ્રત તપ ક્ષમા, વાસ નિર્જન સ્થળે,
બાıા અંતર તજી સંગને જો;
મૌન આતાપના યોગ ધારતાં ય જો,
ચિંતવે સ્વરુપમુકિત વરે તો. ૧૧.
અર્થ :વ્રતો પાળતાં, શાસ્ત્રો વાંચતાં, તપ કરતાં, નિર્જન
સ્થાનમાં વસતાં, અંતરંગ અને બાહ્ય સંગનો ત્યાગ કરતાં, મૌન પામતાં,
ક્ષમા આતાપન યોગ ધારણ કરતાં, આત્મચિંતન સાથે આ બધાં કાર્યો
કરવામાં આવતાં (જીવ) મોક્ષ પામે છે. ૧૧.
शुद्धचिद्रूपके रक्तः शरीरादिपराङ्मुखः
राज्यं कुर्वन्न बंधेत कर्मणा भरतो यथा ।।१२।।
દેહ ગેહાદિથી થઇ ઉદાસીન જે
શુદ્ધ ચિદ્રૂપમાં રકત નિત્યે,