Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 141 of 153
PDF/HTML Page 149 of 161

 

background image
અધ્યાય-૧૭ ][ ૧૪૧
જ્ઞેય પદાર્થો જાણે દેખે સિદ્ધ તથા સંસારી છતાં,
સંસારીનું જ્ઞાન વિકલ્પક, સિદ્ધતણું અવિકલ્પક ત્યાં. ૮.
અર્થ :સિદ્ધ આત્માઓને, સંસારી જીવોને, જ્ઞેય પદાર્થનું દર્શન
જ્ઞાન થાય છે, પણ સિદ્ધોને તે જ્ઞાન દર્શન વિકલ્પરહિત હોય છે અને
સંસારીઓને (તે) વિકલ્પ સહિત હોય છે. ૮.
व्याकुलः सविकल्पः स्यान्निर्विकल्पो निराकुलः
कर्मबंधोऽसुखं चाद्ये कर्माभावः सुखं परे ।।।।
નિર્વિકલ્પ તો નિરાકુલ ને વ્યાકુલ વિકલ્પવંત સદા,
કર્મનાશ સત્સૌખ્ય પ્રથમને, કર્મ-દુઃખયુત અન્ય બધાા. ૯.
અર્થ :વિકલ્પ સહિત જીવ દુઃખી હોય છે અને નિર્વિકલ્પ
જીવ સુખી હોય છે. પ્રથમ (સવિકલ્પ)ને કર્મનો બંધ થાય છે અને
દુઃખ થાય છે. બીજાને (
નિર્વિકલ્પને) કર્મનો અભાવ અને સુખ થાય
છે. ૯.
बहून् वारान् मया भुक्तं सविकल्पं सुखं ततः
तन्नापूर्वं निर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ।।१०।।
પૂર્વે એ સવિકલ્પ સૌખ્ય મx અનુભવ્યું બહુ વાર અહા!
તેથી તે ન અપૂર્વ મને તો નિર્વિકલ્પ સુખ વિષે સ્પૃહા. ૧૦.
અર્થ :સવિકલ્પ સુખ મેં ઘણીવાર ભોગવ્યું છે, તેથી તે (મારા
માટે) અપૂર્વ નથી, તેથી મને નિર્વિકલ્પ સુખ પ્રત્યે સ્પૃહા છે. ૧૦.
ज्ञेयज्ञानं सरागेण चेतसा दुःखमंगिनः
निश्चयश्च विरागेण चेतसा सुखमेव तत् ।।११।।
રાગાદિયુત ચિત્ત સહિત જો જાણે જ્ઞેય વસ્તુ દુઃખ તો;
પણ જો જાણે ચિત્ત-વિરાગે નિશ્ચયથી જીવને સુખ તો. ૧૧,
અર્થ
:રાગયુક્ત ચિત્તથી જ્ઞેય પદાર્થનું જ્ઞાન પ્રાણીને દુઃખ