Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 142 of 153
PDF/HTML Page 150 of 161

 

background image
૧૪૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
આપે છે અને રાગરહિત મનથી તે જ્ઞાન સુખ જ છે, એ નિશ્ચય
છે. ૧૧.
रवेः सुधायाः सुरपादपस्य चिंतामणेरुत्तमकामधेनोः
दिवो षिदग्धस्य हरेरखर्वं गर्वं हरन् भो विजयी चिदात्मा ।।१२।।
સૂર્ય સુધાા સુરતરુ સુરમણિ કે સુરધોનુ સુરસદન મહા,
વિષ્ણુ આદિના ગર્વ હરે એ પ્રબળ ચિદાત્મા વિજયી અહા! ૧૨.
અર્થ :હે આત્મન્! ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્મા સૂર્યના,
અમૃતના, કલ્પવૃક્ષના, ચિંતામણિ રત્નના, ઉત્તમ કામધેનુના, દેવલોકના,
પંડિતના, વિષ્ણુના અખંડિત ગર્વને ચકચૂર કરીને અખંડ પ્રતાપવાન વર્તે
છે. ૧૨.
चिंता दुःखं सुखं शांतिस्तस्या एतत्प्रतीयते
तच्छांतिर्जायते शुद्धचिद्रूपे लयतोऽचला ।।१३।।
ચિંતા એ દુઃખ સુખ શાંતિ છે એ શાંતિથી પ્રતીત બને;
નિર્મલ ચિદ્રૂપમાં લય લાગ્યે અચલ શાંતિ પ્રગટે જીવને. ૧૩.
અર્થ :ચિંતા એ દુઃખ છે, શાંતિ એ સુખ છે, આ વાત
શાંતિથી વિચારતાં પ્રતીતિમાં આવે છે. તે અચળ શાંતિ શુદ્ધ ચિદ્રૂપમાં
લય લાગવાથી પ્રગટ થાય છે. ૧૩.
मुंच सर्वाणि कार्याणि संगं चान्यैश्च संगतिं
भो भव्य ! शुद्धचिद्रूपलये वांछास्ति ते यदि ।।१४।।
નિર્મળ ચિદ્રૂપમાં લયની જો વાંછા છે હે ભવ્ય! તને,
તો તજ સર્વ કાર્ય, બહિરંતર સંગ સંગતિ અન્યજને. ૧૪.
અર્થ :હે ભવ્ય! જો શુદ્ધ ચિદ્રૂપના લયની તને ઇચ્છા હોય,
તો સર્વ (બાહ્ય) કાર્યો તથા પરપદાર્થોનો બાહ્ય અને અંતર સંગ તું છોડી
દે. ૧૪.